________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- જેમનું જિનસમ્યક્ત્વ દઢ છે તેમને સંસારની ઋદ્ધિ તૃણવત્ છે. ને ૫૨માર્થ સુખની જ ભાવના છે. તેથી તેમને વિનાશીક ઋદ્ધિની વાંછા કેમ હોય ? ૧૩૦
હવે આનું જ સમર્થન છે કે એવી ઋદ્ધિ પણ ચાહતા નથી તો અન્ય સાંસારિક સુખની
શી વાત?
किं पुण गच्छइ मोहं णरसुरसुक्खाण अप्पसाराणं । जाणतो पस्संतो चिंतंतो मोक्ख मुणिधवलो ।। १३१ ।।
किं पुनः गच्छति मोहं नरसुरसुखानां अल्पसाराणाम्। जानन् पश्यन् चिंतयन् मोक्षं मुनिधवलः ।। १३१ ।।
તો દેવ-ન૨નાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને, મુનિપ્રવ૨ જે જાણે, `જુએ ને ચિંતવે છે મોક્ષને ? ૧૩૧
અર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વોક્ત પ્રકારની પણ ઋદ્ધિને ઇચ્છતા નથી તો મુનિ ધવલ અર્થાત્ મુનિપ્રધાન છે તે અન્ય જે મનુષ્ય-દેવોનાં સુખ-ભોગાદિક કે જેમાં અલ્પ સાર છે તેમાં શા માટે મોહ પામે ? કેવા છે મુનિધવલ? મોક્ષને જાણે છે, તેના જ તરફ દષ્ટિ છે ને તેનું જ ચિંતન કરતા હોય છે.
ભાવાર્થ:- જે મુનિપ્રધાન છે તેમની ભાવના મોક્ષના સુખોમાં છે. તે દેવ વિધાધરોની ફેલાયેલી મોટી મોટી વિક્રિયા-ઋદ્ધિમાં પણ લાલસા કરતા નથી તો કિંચિત્ માત્ર વિનાશીક જે મનુષ્ય, દેવોના ભોગાદિકના સુખ તેમાં વાંછા કેવી રીતે કરે? અર્થાત્ ન જ કરે. ૧૩૧
હવે ઉપદેશ કરે છે કે જ્યાંસુધી જરા આદિક ન આવે ત્યાંસુધી પોતાનું હિત સાધી લો:
उत्थरइ जा ण जरओ रोयग्गी जा ण डहइ देहउडिं । इन्दिय बलं ण वियलइ ताव तुमं कुणहि अप्पहियं ।। १३२ ।।
आक्रमते यावन्न जरा रोगाग्निर्यावन्न दहति देहकुटीम् । इन्द्रियबलं न विगलति तावत् त्वं कुरु आत्महितम् ।। १३२ ।।
રે ‘આક્રમે ન જરા, વૈગદાગ્નિ દહે ન řતનકુટિ જ્યાં લગી, બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી. ૧૩૨
=
૧ જુએ = દેખે; શ્રદ્ધે. ૨ આર્મે = આક્રમણ કરે; હલ્લો કરે; ઘેરી વળે; પકડે. ૩ ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ. ૪ તનકુટિ = કાયારૂપી ઝૂંપડી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com