________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૯
અર્થ:- હે મુને! જ્યાં સુધી તને જરા ન આવે તથા જ્યાં સુધી રોગરૂપી અગ્નિ તારી દેહરૂપી ઝૂંપડીને ભસ્મ ન કરે અને જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધીમાં પોતાનું હિત કરી લે.
ભાવાર્થ- વૃદ્ધાવસ્થામાં દેહ રોગોથી જર્જરિત થઈ જાય છે ને ઇન્દ્રિયો ક્ષીણ થઈ જાય છે ત્યારે અસમર્થ થઈને આ લોકના કાર્ય-ઉઠવા-બેસવાનું કાર્ય—પણ કરી શકતો નથી ત્યારે પરલોક સંબંધી તપશ્ચરણાદિક તથા જ્ઞાનાભ્યાસ અને સ્વરૂપના અનુભવાદિ કાર્ય કયાંથી કરે ? તેથી આ ઉપદેશ છે કે જ્યાં સુધી સામર્થ્ય છે ત્યાંસુધીમાં પોતાના હિતરૂપ કાર્ય કરી લો. ૧૩ર
હવે અહિંસા ધર્મના ઉપદેશનું વર્ણન કરે છે -
छज्जीव छडायदणं णिच्चं मणवयणकायजोएहिं। कुरु दय परिहर मुणिवर भावि अपुव्वं महासत्तं ।। १३३ ।।
षट्जीवान् षडायतनानां नित्यं मनोचचनकाययोगैः। कुरु दयां परिहर मुनिवर भावय अपूर्व महासत्वम्।। १३३।।
છ અનાયતન તજ, કર દયા ષજીવની ત્રિવિધ સદા, મહાસત્તને તું ભાવ રે! *અપૂરવપણે હે મુનિવર ! ૧૩૩.
અર્થ:- હે મુનિવર ! તું છકાયના જીવો પર દયા કર અને છ અનાયતનોને મન, વચન, કાયાના યોગથી છોડ તથા અપૂર્વ-જે પહેલાં થયું ન હતું એવા-મહાસત્ત્વ અર્થાત્ સર્વે જીવોમાં વ્યાપક મહાસત્ત્વ ચેતના ભાવને ભાવ.
ભાવાર્થ- અનાદિ કાળથી જીવનું સ્વરૂપ-ચેતનાસ્વરૂપ-જાણ્યું ન હતું તેથી જીવોની હિંસા કરી. તેથી આ ઉપદેશ છે કે હવે જીવાત્માનું સ્વરૂપ જાણીને છકાયના જીવો પર દયા કર. અનાદિથી જ આપ્તનું, આગમનું, પદાર્થનું અને એમની સેવા કરવાવાળાઓનું સ્વરૂપ જાણું નથી માટે અનાપ્ત આદિ છ અનાયતન-જે મોક્ષમાર્ગના સ્થાન નથી તેમને-સારા સમજીને સેવન કર્યું. એટલે આ ઉપદેશ દે છે કે અનાયતનને છોડ જીવના સ્વરૂપના ઉપદેશક એ બન્નેને તે પહેલાં જાણાં નથી, અને ભાવના કરી નથી. માટે હવે તેમની ભાવના કર-આ પ્રકારે ઉપદેશ
૧ છાપેલી સંસ્કૃત પ્રતમાં ‘મહાસત્ત' એવું સંબોધન પદ છે જેનું સંસ્કૃત છાયા ‘મહાસ' છે. ૨ મુદ્રિત સંસ્કૃત પ્રતમાં ‘ષ નીવષહાયતનાનાં' એવું પદ કર્યું છે. ૩ ત્રિવિધ = મન-વચન-કાયાથી. ૪ અપૂરવપણે = અપૂર્વપણે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com