________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૭
હવે આચાર્ય કહે છે કે જે ભાવશ્રમણ છે તેમને ધન્ય છે, તેમને અમારા નમસ્કાર હોઃ
ते धण्णा ताण णमो दंसणवरणाणचरण सुद्धाणं। भावसहियाण णिच्चं तिविहेण पणट्ठमायाणं ।। १२९ ।।
ते धन्याः तेभ्य नमः दर्शनवरज्ञानचरणशुद्धेभ्यः। भावसहितेभ्यः नित्यं त्रिविधेन प्रणष्टमायेभ्यः ।। १२९ ।।
તે છે સુધન્ય, 'ત્રિધા સદૈવ નમસ્કરણ હો તેમને, જે 'ભાવયુત, દગજ્ઞાનચરણવિશુદ્ધ, માયા મુક્ત છે. ૧૨૯
અર્થ:- આચાર્ય કહે છે કે જે મુનિ સમ્યગ્દર્શન, શ્રેષ્ઠ (વિશિષ્ટ) જ્ઞાન અને નિર્દોષ ચારિત્ર એનાથી શુદ્ધ છે તેથી ભાવ સહિત છે અને નાશ પામી ગઈ છે માયા અર્થાત્ કપટ પરિણામ જેમના તેઓ ધન્ય છે. તેમને અમારા મન-વચન-કાયાથી સદા નમસ્કાર હો.
ભાવાર્થ- ભાવલિંગીઓમાં જે દર્શન-જ્ઞાન-ચારિત્રથી શુદ્ધ છે તેમના પ્રત્યે આચાર્યને ભક્તિ પ્રગટ થઈ છે, તેથી તેમને ધન્ય કહીને નમસ્કાર કર્યા છે તે યોગ્ય છે. જેમને મોક્ષમાર્ગમાં અનુરાગ છે તેઓ જેમનામાં મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં મુખ્યતા દેખાય તેમને નમસ્કાર કરે જ કરે. ૧૨૯
હવે કહે છે જે ભાવશ્રમણ છે તેઓ દેવાદિકની ઋદ્ધિ જોઈને મોહ પામતા નથીઃ
इड्डिमतुलं विउविय किण्णरकिंपुरिसअमरखयरेहिं। तेहिं विण जाइ मोहं जिण भावण भाविओ धीरो।। १३०।। ऋद्धिमतुलां विकुर्वन्दिः किंनरकिंपुरुषामरखचरैः। तैरपि न याति मोहं जिनभावना भावितः धीरः।। १३०।।
*ખેચર-સુરાદિક ચિક્રિયાથી ઋદ્ધિ અતુલ કરે ભલે, જિનભાવના પરિણત સુધીર લહે ન ત્યાં પણ મોહને. ૧૩૦
અર્થ - જિનભાવના (સમ્યકત્વભાવના) થી વાસિત જીવ કિન્નર, જિંપુરુષ દેવ, કલ્પવાસી દેવ અને વિધાધર એમનાથી વિક્રિયારૂપ વિસ્તાર પામેલી અતુલ ઋદ્ધિઓથી મોટું પામતા નથી. કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ કેવા છે? ધીર છે દઢબુદ્ધિ છે અર્થાત નિઃશંકિત અંગના ધારક છે.
૧ ત્રિધા = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. ૨ ભાવયુક્ત = શુદ્ધ ભાવ સહિત. ૩ સંસ્કૃત મુદ્રિત પ્રતિમાં ‘વિતા' પાઠ છે. ૪ ખેચર-સુરાદિક = વિધાધર, દેવ વિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com