________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૫
જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને ભાવથી *ભવિ થાય છે જર-મરણ-વ્યાધિદાર્જિત, ‘શિવમયી. ૧૨૫
અર્થ - ભવ્યજીવ જ્ઞાનમયી નિર્મળ શીતળ જળને સમ્યકત્વભાવ સહિત પીને વ્યાધિસ્વરૂપ જરા-મરણની વેદના (પીડા) ને ભસ્મ કરીને મુક્ત અર્થાત્ સંસારથી રહિત શિવ” અર્થાત પરમાનંદ સુખરૂપ થાય છે.
ભાવાર્થ- જેવી રીતે નિર્મળ અને શીતળ પાણી પીવાથી પિત્તના દાહરૂપ વ્યાધિ મટીને શાતા થાય છે તેવી જ રીતે આ જ્ઞાન છે તે જ્યારે રાગાદિક મળથી રહિત નિર્મળ અને આકુળતા રહિત શાંત ભાવરૂપ થાય છે ત્યારે તેની ભાવના કરી રુચિ-શ્રદ્ધા-પ્રતીતિથી પીએ. - તેનાથી તન્મય થાય તો જરા-મરણરૂપ દાહ-વેદના મટી જાય છે અને સંસારથી નિવૃત્ત થઈને સુખરૂપ થાય છે. તેથી ભવ્યજીવોને ઉપદેશ છે કે જ્ઞાનમાં લીન થાઓ. ૧૨૫
હવે કહે છે કે આ ધ્યાનરૂપ અગ્નિથી સંસારના બીજરૂપ આઠે કર્મ એકવાર બળી જાય પછી ફરી સંસાર થતો નથી આ કર્મબીજ ભાવમુનિને બળી જાય છે:
जह बीयम्मि य दड्ढे ण वि रोहइ अंकुरो य महि वीढे। तह कम्मबीयदड्ढे भवंकुरो भावसवणाणं ।। १२६ ।।
यथा बीजे च दग्धे नापि रोहति अंकुरश्च महीपीठे। तथा कर्म बीजदग्धे भवांकुर: भावश्रमणानाम्।।१२६ ।।
જ્યમ બીજ હોતાં દગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં, ત્યમ કર્મ બીજ બળે ભવાંકુર ભાવશ્રમણોને નહીં. ૧૨૬
અર્થ - જેવી રીતે પૃથ્વી પરનું બીજ બળી જવાથી તેમાંથી અંકુર ફૂટતાં નથી તેવી રીતે જ ભાવલિંગી શ્રમણને સંસારના કર્મરૂપી બીજ બળી ગયા પછી સંસારરૂપી અંકૂર ફરી ઊગતા નથી.
ભાવાર્થ:- સંસારનું મૂળ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે. આ કર્મ ભાવશ્રમણને ધ્યાનરૂપ અગ્નિથી ભસ્મ થઈ જાય છે. તેથી ફરી સંસારરૂપ અંકૂર કયાંથી ફૂટે? માટે ભાવભ્રમણ થઈને ધર્મ-શુક્લ ધ્યાનથી કર્મોનો નાશ કરવા યોગ્ય છે, આ ઉપદેશ છે. કોઈ સર્વથા એકાંતી બીજી રીતે કહે કે-કર્મ અનાદિ છે, એનો અંત પણ નથી તો તેનો પણ આ નિષેધ છે. બીજ અનાદિ છે, પણ એક વાર બળી જાય તો પછી ફરી ઊગતા નથી. એ રીતે આ પણ જાણવું. ૧૨૬
૧ ભાવથી = શુદ્ધભાવથી. ૨ ભવિ = ભવ્ય જીવો. ૩ જર-મરણ-વ્યાધિદાત્વર્જિત = જરા-મરણ-રોગ સંબંધી બળતરાથી મુક્ત. ૪ શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત સિદ્ધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com