________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
(અષ્ટપાહુડ
झायहि पंच वि गुरवे मंगलचउसरणलोयपरियरिए। णरसुरखेयरमहिए आराहणणायगे वीरे।। १२४।।
ध्याय पंच अपि गुरुन् मंगलचतुः शरणलोकपरिकरितान्। नरसुरखेचरमहितान् आराधनानायकान् वीरान्।। १२४ ।।
ધ્યા પંચ ગુરુને, શરણ-મંગલ-લોક ઉત્તમ જેહ છે, આરાધના નાયક 'અમર-નર-ખચ૨ પૂજિત, વીર છે. ૧૨૪
અર્થ:- હે મુને ! તું પાંચ ગુરુ અર્થાત્ પંચપરમેષ્ઠીનું ધ્યાન કર. અહીં “અપિ” શબ્દ શુદ્ધાત્મ સ્વરૂપના ધ્યાનને સૂચવે છે. પંચપરમેષ્ઠી કેવા છે? મંગલ અર્થાત્ પાપના નાશક અથવા સુખદાયક છે અને ચઉશરણ અર્થાત્ ચાર શરણ છે તથા “લોક” અર્થાત્ લોકના પ્રાણીઓથી અરહંત સિદ્ધ, સાધુ અને કેવળી પ્રણીત ધર્મ-એ પરિકરિત અર્થાત્ પરિતારિત છે-યુક્ત (સહિત) છે. નર-સુર-વિધાધર સહિત પૂજ્ય છે તેથી તે “લોકોત્તમ' કહેવાય છે. આરાધનાના નાયક છે, વીર છે, કર્મોને જીતનાર સુભટ છે અને વિશિષ્ટ લક્ષ્મીને પોતે પ્રાપ્ત છે તથા બીજાને આપે છે. આ પ્રકારે પાંચ પરમ ગુરુનું ધ્યાન કર.
ભાવાર્થ:- અહીં પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરવાનું કહ્યું છે, તે ધ્યાનમાં વિપ્નને દૂર કરવાવાળા ચાર મંગલ સ્વરૂપ કહ્યા છે તે એ જ છે. “ચાર શરણ” અને “ચાર લોકમાં ઉત્તમ’ કહ્યા છે તે પણ એમને જ કહ્યા છે. એમના સિવાય પ્રાણીઓને અન્ય શરણ કે રક્ષા કરવાવાળું કોઈ પણ નથી. અને લોકમાં ઉત્તમ પણ તેઓ જ છે. આરાધના-દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ –એ ચાર છે. તેના નાયક (સ્વામી) પણ તેઓ જ છે. કર્મોને જીતવાવાળા પણ તેઓ જ છે, તેથી ધ્યાન કરવાવાળા માટે તેમનું ધ્યાન શ્રેષ્ઠ છે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તેમના જ ધ્યાનથી થાય છે. માટે આ ઉપદેશ છે. ૧૨૪
- હવે ધ્યાન છે તે “જ્ઞાનમાં એકાગ્ર હોવુંએમ કહ્યું છે તેથી જ્ઞાનનો અનુભવ કરવાનો ઉપદેશ કરે છે:
णाणमय विमलसीयलसलिलं पाऊण भविय भावेण। वाहिजरमरणवेयणडाहविमुक्का सिवा होति।।१२५ ।।
ज्ञानमयविमल शीतल सलिलं प्राप्य भव्याः भावेन। व्याधिजरामरणवेदनादाहविमुक्ताः शिवाः भवन्ति।।१२५ ।।
૧ અમર-નર-ખચરપૂજિત = દેવો-મનુષ્યો અને વિધાધરોથી પૂજિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com