________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
(અષ્ટપાહુડ
હવે ભેદોના વિકલ્પથી રહિત થઈને ધ્યાન કરવાનો ઉપદેશ કરે છે -
झायहि धम्मं सुक्कं अट्ट रउदं च झाण मुत्तूण। रुद्दट्ट झाइयाइं इमेण जीवेण चिरकालं ।। १२१ ।। ध्याय धन॑ शुक्लं आर्तं रौद्रं च ध्यानं मुक्त्वा।
रौद्रातें ध्याते अनेन जीवेन चिरकालम्।।१२१।। ધ્યા ધર્મ તેમજ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને; ચિરકાળ ધ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાનો આ જીવે. ૧૨૧
અર્થ:- હે મુને ! તું આર્ત-રૌદ્ર ધ્યાનને છોડ અને ધર્મ-શુક્લ-ધ્યાન છે તેને જ કર, કેમકે રૌદ્ર અને આર્તધ્યાન તો આ જીવે અનાદિ કાળથી ઘણા સમય સુધી કર્યા છે.
ભાવાર્થ- આર્ત-રૌદ્રધ્યાન અશુભ છે, સંસારનું કારણ છે. આ બન્ને ધ્યાન તો જીવને વિના ઉપદેશે જ અનાદિથી હોય છે, તેથી તેમને છોડવાનો ઉપદેશ છે. ધર્મ-શુક્લધ્યાન સ્વર્ગમોક્ષનું કારણ છે. તેમનું ક્યારેય ધ્યાન કર્યું નથી, માટે તેમનું ધ્યાન કરવાનો ઉપદેશ છે. ધ્યાનનું
સ્વરૂપ ‘પાગ્રચિત્તાનિરોધ' કહ્યું છે. ધર્મધ્યાનમાં તો ધર્માનુરાગનો સદ્દભાવ છે. તે ધર્મનામોક્ષમાર્ગના-કારણમાં રાગસહિત “એકાગ્ર ચિંતાનિરોધ” હોય છે. તેથી શુભરાગના નિમિત્તથી પુણ્યબંધ પણ થાય છે અને તે વિશુદ્ધ ભાવના નિમિત્તથી પાપકર્મની નિર્જરા પણ થાય છે. શુક્લધ્યાનમાં આઠમાં, નવમા, દસમા ગુણસ્થાનમાં તો અવ્યક્ત રાગ છે. ત્યાં અનુભવઅપેક્ષાથી ઉપયોગ ઉજ્વળ છે, તેથી “શુકલ” નામ રાખ્યું છે, અને એનાથી ઉપરના ગુણસ્થાનોમાં રાગ-કપાયનો અભાવ જ છે, તેથી સર્વથા જ ઉપયોગ ઉજ્વલ છે. ત્યાં શુક્લધ્યાન યુક્ત જ છે. એટલી વધુ વિશેષતા છે કે ઉપયોગના એકાગ્રપણારૂપ ધ્ય અંતર્મુહૂર્તની કહી છે. તે અપેક્ષાથી તેરમા-ચૌદમાં ગુણસ્થાનમાં ધ્યાનનો ઉપચાર છે અને યોગક્રિયાના સ્થંભનની અપેક્ષાથી ધ્યાન કહ્યું છે. આ શુક્લધ્યાન કર્મની નિર્જરા કરીને જીવને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. –એવો ધ્યાનનો ઉપદેશ જાણવો. ૧૨૧ હવે કહે છે કે આ ધ્યાન ભાવલિંગી મુનિઓને મોક્ષ અપાવે છે:
जे के वि दव्वसवणा इंदियसुहआउला ण छिंदंति। छिंदंति भावसवणा झाणकुढारेहिं भवरुक्खं ।। १२२ ।। ये केऽपि द्रव्यश्रमणा ईन्द्रियसुखाकुलाः न छिंदन्ति। छिंदन्ति भावश्रमणाः ध्यानकुठारैः भववृक्षम्।।१२२ ।। દ્રવ્ય શ્રમણ ઇન્દ્રિયસુખાકુલ હોઈને છેદે નહીં; ભવવૃક્ષ છેદે ભાજશ્રમણો ધ્યાનરૂપ કુઠારથી. ૧૨૨
૧ કુઠાર = કુહાડો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com