________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
| (અષ્ટપાહુડ
ચેતન સ્ત્રી–દેવી, મનુષ્યિણી, તિર્યંચણી એવી ત્રણ. એ ત્રણેને મન, વચન, કાયથી ગુણવાથી નવ થાય છે. એમને કૃત, કારિત, અનુમોદનાથી ગુણવાથી સત્તાવીસ થાય છે. એમને પાંચ ઇન્દ્રિયોથી ગુણવાથી એકસો પાંત્રીસ થાય છે. એમને દ્રવ્ય અને ભાવ-એ બેથી ગુણવાથી બસો સીત્તેર થાય છે. એમને ચાર સંજ્ઞા-(આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) થી ગુણવાથી એકહજાર એસી થાય છે. એમને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન ને ક્રોધ, માન, માયા, લોભ-આ સોળ કષાયોથી ગુણવાથી સત્તર હજાર બસો એસી થાય છે. તેમાં અચેતન સ્ત્રીના સાતસો વીસ ઉમેરવાથી અઢાર હજાર થાય છે. આવા સ્ત્રીના સંસર્ગથી વિકાર પરિણામ થાય છે, તે કુશીલ છે. તેના અભાવરૂપ પરિણામ શીલ છે, તેને પણ “બ્રહ્મચર્ય” સંજ્ઞા છે.
* અવે
દ્રવ્ય,
* અચેતન:
સ્ત્રી
કાષ્ઠપાષાણ ચિત્રામ ૩ ૪
કૃત, કારિત ઇન્દ્રિયો અનુમોદના ૫
૩ ૪ ૫ ૪
ક્રોધ, માન માયા, લોભ
કાય ૨ x
ભાવ ૨ ૪
= ૭૨૦
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ
મન વચન
ઇન્દ્રિયો ૫
દ્રવ્ય ભાવ
* ચેતનઃ દેવી
સ્ત્રી મનુષ્મિણી તિર્યચિણી
૩ X
કૃત કારિત અનુમોદના
૩ ૪
આહાર ભય, મૈથુન પરિગ્રહુ ૪ x
ક્રોધ માન, માયા લોભ
કાય
સંજ્વલન
૪ x
૩ ૪
૫
X
૨
x
= ૧૭૨૮૦
૧૮OOO
ચોરાસી લાખ ઉત્તરગુણ આ પ્રમાણે છે આત્માના વિભાવ પરિણામોને બાહ્ય કારણોની અપેક્ષાથી જે ભેદ થાય છે. તેમના અભાવરૂપ આ ગણોના ભેદ છે. તે વિભાવોના ના ભેદોની ગણના સંક્ષેપથી આવી છે:- (૧) હિંસા, (૨) અમૃત, (૩) તેય, (૪) મૈથુન, (પ) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) ભય, (૧૧) જુગુપ્સા, (૧૨) અરતિ, (૧૩) શોક, (૧૪) મનોદુખત્વ, (૧૫) વચનદુખત્વ, (૧૬ ) કાયદુખત્વ, (૧૭) મિથ્યાત્વ, (૧૮) પ્રમાદ, (૧૯) પૈશૂન્ય, (૨૦) અજ્ઞાન અને (૨૧) ઇન્દ્રિયોનો અનુગ્રહ-આવા એકવીસ દોષ છે. એમને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર એવાં ચારેથી ગુણવાથી ચોરાસી થાય છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, પ્રત્યેક ને સાધારણ-એ સ્થાવર એકેન્દ્રિય જીવ છે અને વિકલ ત્રણ, પંચેન્દ્રિય એક-એવા જીવોના દસ ભેદ, એમના પરસ્પર આરંભથી ઘાત થાય છે. તેમને પરસ્પર ગુણવાથી એકસો થાય છે. તેમને આગળના ચોરાસીથી ગુણવાથી ચોરાસીસો થાય છે. તેમને દસ શીલ-વિરાધનાથી ગુણવાથી ચોરાસી હજાર થાય છે. શીલ-વિરાધનાના દસ નામ આ પ્રમાણે છે-(૧) સ્ત્રીસંસર્ગ, (૨) પુષ્ટરસભોજન, (૩) ગંધમાલ્યનું ગ્રહણ, (૪) સુંદર શયનાસનનું ગ્રહણ, (૫) શણગાર (ભૂષણ)નું મંડન, (૬) ગીતવાદિત્રનો પ્રસંગ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com