________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
| (અષ્ટપાહુડ
ભાવાર્થ- તત્ત્વની ભાવના તો પહેલાં કહી. તે ચિંતન કરવા યોગ્ય ધર્મ-શુકલધ્યાનના વિષયભુત જે ધ્યેય વસ્તુ-પોતાના શુદ્ધ દર્શન-જ્ઞાનમયી ચેતનાભાવ અને એવું જ અરહંત, સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ નિવૃત્ત તેનું ચિંતન જ્યાં સુધી આ આત્માને ન હોય ત્યાં સુધી સંસારથી થવાતું નથી તેથી તત્ત્વની ભાવના અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનનો ઉપાય નિરંતર રાખવો એ જ ઉપદેશ છે. ૧૧૫ હવે કહે છે કે પાપ-પુણ્યના અને બંધ-મોક્ષના કારણ પરિણામ જ છે:
पावं हवइ असेसं पुण्णमसेसं च हवइ परिणामा। परिणामादो बंधो मुक्खो जिणसासणे दिट्ठो।। ११६ ।।
पापं भवति अशेषं पुण्यमशेषं च भवति परिणामात्। પરિણામવિંધ: મોક્ષ: જિનશાસને દE: ૨૨૬ /
રે ! પા૫ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી; પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસનમહીં. ૧૧૬
અર્થ - પાપ-પુણ્ય અને બંધ-મોક્ષનું કારણ જીવના પરિણામને જ કહ્યું છે. જીવને મિથ્યાત્વ, વિષય-કષાય, અશુભ લેશ્યારૂપ તીવ્ર પરિણામ થતા હોય છે તેનાથી તો પાપાસ્રવણો બંધ થાય છે. પરમેષ્ઠીની ભક્તિ, જીવો પર દયા ઇત્યાદિક મંદ કષાય શુભ લેશ્યરૂપ પરિણામ થાય છે તેનાથી પુણ્યાગ્રહનો બંધ થાય છે. શુદ્ધ પરિણામ રહિત વિભાવરૂપ પરિણામથી બંધ થાય છે. શુદ્ધ ભાવની સન્મુખ રહેવું, તેને અનુકૂળ શુભ પરિણામ રાખવા, અને અશુભ પરિણામ સર્વથા દૂર કરવા-આ ઉપદેશ છે. ૧૧૬
હવે પુણ્ય-પાપનો બંધ જે ભાવોથી થાય છે તેને કહે છે. પહેલાં પાપ બંધના પરિણામને કહે છે:
मिच्छत्त तह कसायासंजमजोगेहिं असुहलेसेहिं। बंधइ असुहं कम्मं जिणवयणपरम्मुहो जीवो।। ११७।। मिथ्यात्वं तथा कषायासंयमयोगै: अशुभलेश्यैः ।
बध्नति अशुभं कर्म जिनवचनपराङ्मुखः जीवः।। ११७।। "મિથ્યા-કષાય-અવિરતિ-યોગ અશુભલેશ્યાવિતવડે જિનવચપરાભુખ આતમા બાંધે અશુભરૂપ કર્મને. ૧૧૭
અર્થ:- મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગ કે જેનામાં અશુભ લેશ્યા જોવામાં
૧ મિથ્યા = મિથ્યાત્વ. ૨ અશુભલેશ્યાન્વિત = અશુભલેશ્યાયુક્ત; અશુભલેશ્યવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com