________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૯
ઉપદેશ છે. કાળના નિમિત્તથી મુનિપદથી ભ્રષ્ટ થયા પછી ગુરુઓની પાસે પ્રાયશ્ચિત લીધું નહીં, ત્યારે વિપરીત થઈને અલગ સંપ્રદાય બનાવી લીધો, આમ વિપર્યય થયો. ૧૦૬
હવે ક્ષમાનો ઉપદેશ કહે છે –
दुज्जवयणचडक्कं णिठुरकडुयं सहति सप्पुरिसा। कम्ममलणासणटुं भावेण य णिम्ममा सवणा।। १०७।।
दुर्जनवचनचपेटां निष्ठुरकटुकं सहन्ते सत्पुरुषाः। कर्ममलनाशनार्थं भावेन च निर्ममाः श्रमणाः ।। १०७।।
દુર્જન તણી નિષ્ફર-કટુક વચનોરૂપી થપ્પડ સહે સપુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭
અર્થ:- પુરુષ મુનિ છે, તેઓ દુર્જનના વચનરૂપ ચપેટને-જે નિષ્ફર (કઠોર), દયા રહિત અને કટુક (સાંભળતાં જ કાનોમાં તીક્ષ્ણ શૂળ સમાન લાગે) એવી ચપેટ છે તેને-સહન કરે છે, તેઓ શામાટે સહે છે? કર્મોનો નાશ થવા માટે સહે છે. પહેલાં અશુભ કર્મ બાંધ્યાં હતાં તેના નિમિત્તથી દુર્જને કઠોર વચન કહ્યાં, પોતે સાંભળ્યા. તેને ઉપશમ પરિણામથી પોતે સહ્યા ત્યારે અશુભ કર્મ ઉદયમાં આવી ખરી ગયા. આવા તીક્ષ્ણ વચનો સહેવાથી કર્મનો નાશ થાય
તે મુનિ સન્દુરુષ કેવાં છે? પોતાના ભાવથી વચનાદિકથી નિર્મમત્વ છે-વચનથી તથા માનકષાયથી અને દેહાદિકથી મમત્વ નથી. મમત્વ હોય તો દુર્વચન સહ્યાં ન જાય. તેઓ એમ ન જાણે કે એણે મને દુર્વચન કહ્યાં. તેથી મમત્વના અભાવથી દુર્વચન સહન કરે છે. માટે મુનિ થઈને કોઈ ઉપર ક્રોધ ન કરવો એ ઉપદેશ છે. લૌકિકમાં પણ જે મોટા પુરુષો છે તેઓ દુર્વચન સાંભળીને ક્રોધ કરતા નથી, તો મુનિને સહેવું ઉચિત જ છે. જે ક્રોધ કરે છે તે કહેવાના તપસ્વી છે, સાચા તપસ્વી નથી. ૧૦૭
હવે ક્ષમાનું ફળ કહે છે:
पावं खवइ असेसं खमाए पडिमंडिओ च मुणिपवरो। खेवर अमरणराणं पसंसणीओ धुवं होइ।। १०८ ।।
पापं क्षिपति अशेष क्षमया परिमंडित च मुनिप्रवरः। खेचरामरनराणां प्रशंसनीयं ध्रुवं भवति।। १०८।।
૧ કર્મમળલયહેતએ = કર્મમળનો નાશ કરવા માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com