________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
(અષ્ટપાહુડી
એવું કહ્યું છે કે તેને (પરિષહને) સહન કરવાથી કર્મની નિર્જરા થાય છે અને સંયમના માર્ગથી છૂટી જવાતું નથી, પરિણામ દેઢ થાય છે. ૯૪
હવે કહે છે કે જે પરિષહ સહવામાં દઢ હોય છે તે ઉપસર્ગ આવવા છતાં પણ દઢ રહે છે, ટ્યુત થતા નથી તેનું દૃષ્ટાંત કહે છે:
जह पत्थरो ण भिज्जइ परिट्ठिओ दीहकालमुदएण। तह साहू वि ण भिज्जइ उवसग्गपरीसहेहिंतो।।९५।। यथा प्रस्तर: न भिद्यते परिस्थितः दीर्घकाल मुदकेन। तथा साधुरपि न भिद्यते उपसर्ग परीषहेभ्यः।। ९५ ।। પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે, ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગ ને પરીષહ વડે. ૯૫
અર્થ:- જેમ પથ્થર જળમાં ઘણા કાળ સુધી રહેવા છતાં પણ ભેદાતો નથી તેવી જ રીતે સાધુ ઉપસર્ગ-પરીષહોથી ભેદાતા નથી.
ભાવાર્થ - પથ્થર એવા કઠોર હોય છે કે તે ઘણા સમય સુધી પાણીમાં રહે તો પણ તેમાં પાણી પ્રવેશી શકતું નથી. તેવી જ રીતે સાધુના પરિણામ પણ એવા દઢ હોય છે કે ઉપસર્ગ-પરીષહુ આવવા છતાં પણ સંયમના પરિણામથી ચુત થતા નથી અને પહેલાં કહ્યું તેમ સંયમનો ઘાત ન થાય તેમ પરીષહુ સહે. જો કદાચિત્ સંયમનો ઘાત થતો જાણે તો પણ જેમ ઘાત ન થાય તેમ કરે. ૯૫ હવે પરીષહ આવે ત્યારે ભાવ શુદ્ધ રહે એવો ઉપાય કહે છે:
भावहि अणुवेक्खाओ अवरे पणवीसभावणा भावि। भावरहिएण किं पुण बाहिरलिंगेण कायव्वं ।। ९६ ।। भावय अनुप्रेक्षाः अपराः पंचविंशतिभावनाः भावय। भावरहितेन किं पुनः बाह्यलिंगेन कर्त्तव्यम्।। ९६ ।। તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને; શું છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી અરે ! ૯૬
અર્થ - હે મુને! તું અનુપ્રેક્ષા અર્થાત્ અનિત્ય આદિ બાર અનુપ્રેક્ષા છે તેમની ભાવના ભાવ, અને અપર અર્થાત્ અધ પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવના કહી છે તેમની ભાવના કર. ભાવ રહિત જે બાહ્યલિંગ છે તેનાથી શું કામ છે? અર્થાત્ કંઈ પણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com