________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
(અષ્ટપાહુડ
પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪
અર્થ:- જે પુરુષ પુણ્યને ધર્મ જાણીને શ્રદ્ધાન કરે છે, પ્રતીતિ કરે છે, રુચિ કરે છે અને સ્પર્શ કરે છે તેમને “પુણ્ય' ભોગનું નિમિત્ત છે. તેનાથી સ્વર્ગાદિક ભોગ પ્રાપ્ત થાય છે પણ તે પુણ્ય કર્મના ક્ષયનું નિમિત્ત થતું નથી. -આ પ્રગટ જાણવું જોઈએ.
ભાવાર્થ:- શુભક્રિયારૂપ પુણ્યને ધર્મ જાણી તેનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે છે તેને પુણ્યકર્મનો બંધ થાય છે, તેનાથી સ્વર્ગાદિના ભોગોની પ્રાપ્તિ થાય છે પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર-નિર્જરા-મોક્ષ થતાં નથી. ૮૪
હવે કહે છે કે જે આત્માના સ્વભાવરૂપ ધર્મ છે તે જ મોક્ષનું કારણ છે એવો નિયમ
अप्पा अप्पम्मि रओ रायादिसु सयलदोसपरिचत्तो। संसारतरणहेदू धम्मो त्ति जिणेहिं णिद्दिटुं।। ८५।।
आत्मा आत्मनि रतः रागादिषु सकलदोषपरित्यक्तः। संसारतरणहेतु: धर्म इति जिनैः निर्दिष्टम्।। ८५।।
રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે 'ભવતરણ કારણ ધર્મ છે તે-એમ જિનદેવો કહે. ૮૫
અર્થ - જો આમા સમસ્ત રાગાદિક દોષોથી રહિત થઈને આત્મામાં જ રત થઈ જાય તો આવા ધર્મને જિનેશ્વરદેવે સંસાર-સમુદ્રથી તરવાનું કારણ કહ્યું છે.
ભાવાર્થ- જે પહેલાં કહ્યું હતું કે મોહના ક્ષોભથી રહિત આત્માના પરિણામ છે તે ધર્મ છે તો એવા ધર્મ જ સંસારથી પાર કરનાર મોક્ષનું કારણ ભગવાને કહ્યું છે. આ નિયમ છે. ૮૫
હવે આ જ અર્થને દઢ કરવા માટે કહે છે કે જે આત્માને ઇષ્ટ નથી કરતો અને સમસ્ત પુણ્યનું આચરણ કરે છે તો પણ સિદ્ધિ પામતો નથી:
अह पुण अप्पा णिच्छदि पुण्णाई करेदि णिरवसेसाइं। तह विण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो।।८६ ।। अथ पुनः आत्मानं नेच्छति पुण्यानि करोति निरवशेषानि। तथापि न प्राप्नोति सिद्धिं संसारस्थ: पुन: भणितः।। ८६ ।।
૧ ભવતરણ કારણ = સંસારને તરી જવાના કારણભૂત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com