________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૮૫
पूजादिषु व्रतसहितं पुण्यं हि जिनैः शासने भणितम्। મોદૃક્ષોમવિદીન: પરિણામ: માન: : ૮રૂ ા
પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખ્યું શાસને; છે ધર્મ ભાખ્યો મોક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩
અર્થ - જિનશાસનમાં જિનેન્દ્રદેવે આ પ્રકારે કહ્યું છે કે-પૂજા આદિકમાં અને વ્રત સહિત હોવું એ તો પુણ્ય જ છે અને મોહના ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ તે ધર્મ છે.
ભાવાર્થ:- લૌકિક જન તથા અન્યમતી કહે છે કે પૂજા આદિક શુભક્રિયા અને વ્રતક્રિયાસહિત છે તે જિનધર્મ છે, પરંતુ એવું નથી. જિનમતમાં જિન ભગવાને આ પ્રકારે કહ્યું છે કે-પૂજા આદિકમાં અને વ્રત સહિત હોવું તે તો “પુણ્ય છે. તેમાં પૂજા અને આદિક શબ્દથી ભક્તિ, વંદના, વૈયાવૃત્ય વગેરે સમજવાં. આ તો દેવ-ગુરુ-શાસ્ત્ર માટે હોય છે અને ઉપવાસ આદિક વ્રત છે તે શુભક્રિયા છે. તેમાં આત્માના રાગસહિત શુભ પરિણામ છે, તેનાથી પુણ્યકર્મ થાય છે. માટે તેને પુણ્ય કહે છે. તેનું ફળ સ્વર્ગાદિક ભોગોની પ્રાપ્તિ છે.
મોહના ક્ષોભથી રહિત આત્માના પરિણામને ધર્મ સમજવો. મિથ્યાત્વ તો અતત્ત્વાર્થ શ્રદ્ધાન છે. ક્રોધ-માન-અરતિ–શોક-ભય-જુગુપ્સા-આ છ દ્રષપ્રકૃતિ છે અને માયા, લોભ, હાસ્ય તથા રતિ-આ ચાર તથા પુરુષ, સ્ત્રી તેમજ નપુંસક-એ ત્રણ વિકાર એવી સાત પ્રકૃતિ રાગરૂપ છે. તેમના નિમિત્તથી આત્માનો જ્ઞાન-દર્શનસ્વભાવ વિકાર સહિત, ક્ષોભરૂપ, ચલાચલ ને વ્યાકુળ થાય છે. માટે આ વિકારોથી રહિત થાય ત્યારે શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપ નિશ્ચય થાયતે આત્માનો “ધર્મ' છે. આ ધર્મથી આત્માના આગામી કર્મનો આસ્રવ અટકીને સંવર થાય છે અને પહેલાં બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે. સંપૂર્ણ નિર્જરા થઈ જાય ત્યારે મોક્ષ થાય છે. (શુભથી) એકદેશ મોહના ક્ષોભની હાનિ થાય છે, માટે શુભ પરિણામને પણ ઉપચારથી ધર્મ કહે છે અને જે કેવળ શુભ પરિણામને જ ધર્મ માનીને સંતોષ પામે છે તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ જિનમતનો ઉપદેશ છે. ૮૩
હવે કહે છે કે જે પુણને જ ધર્મ જાણીને શ્રદ્ધાન કરે છે તેને કેવળ ભોગનું નિમિત્ત છે, કર્મક્ષયનું નિમિત્ત નથી:
सद्दहृदि य पत्तेदि य रोचेदि य तह पुणो वि फासेदि। पुण्णं भोयणिमित्तं ण हु सो कम्मक्खयणिमित्तं ।। ८४।।
श्रद्धाति च प्रत्येति च रोचते च तथा पुनरपि स्पृशति। पुण्यं भोगनिमित्तं न हि तत् कर्मक्षयनिमित्तम्।। ८४ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com