________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
(અષ્ટપાહુડ
ભાવાર્થ- આ ભાવનું માહાભ્ય છે. (સર્વજ્ઞ વીતરાગે કહેલ તત્ત્વજ્ઞાન સહિતસ્વસમ્મુખતા સહિત) વિષયોથી વિરક્ત ભાવવાળો થઈને સોલહુ કારણ ભાવના ભાવે તો જેનો અચિંત્ય છે મહિમા એવી ત્રણ લોકમાં પૂજ્ય “તીર્થકર' નામ પ્રકૃતિને બાંધે છે અને તેને ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. એ સોલહુ કારણ ભાવનાના નામ આ પ્રમાણે છે:- (૧) દર્શન વિશુદ્ધિ, (૨) વિનયસંપન્નતા, (૩) શિલવ્રતધ્વ નતિચાર, (૪) અભીષ્ણજ્ઞાનોપયોગ, (૫) સંવેગ, (૬) શક્તિતસ્યાગ, (૭) શક્તિતસ્તપ, (૮) સાધુસમાધિ, (૯) વૈયાવૃત્યકરણ, (૧૦) અદભક્તિ. (૧૧) આચાર્યભક્તિ. (૧૨) બહુશ્રુતભક્તિ, (૧૩) પ્રવચનભક્તિ, (૧૪) આવશ્યકાપરિહાણિ, (૧૫) સન્માર્ગપ્રભાવના, અને (૧૬) પ્રવચનવાત્સલ્ય. આ રીતે સોળ ભાવના છે. તેમનું વિશેષ સ્વરૂપ તત્ત્વાર્થસૂત્રની ટીકામાંથી જાણવું. તેમાં સમ્યગ્દર્શન મુખ્ય છે. આ ન હોય અને પંદર ભાવનાનો વ્યવહાર હોય તો તે કાર્યકારી નથી અને આ હોય તો પંદર ભાવનાનું કાર્ય એ જ કરી લે, આ પ્રમાણે જાણવું જોઈએ. ૭૯
હવે ભાવની વિશુદ્ધતાનું નિમિત્ત આચરણ કહે છે :
बारसविहतवयरणं तेरसकिरियाउ भाव तिविहेण। धरहि मणमत्तदुरियं णाणंकुसएण मुणिपवर।। ८०।।
द्वादशविधतपश्चरणं त्रयोदश क्रियाः भावय त्रिविधेन। धर मनोमत्तदुरितं ज्ञानांकुशेन मुनिप्रवर!।। ८०।।
તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા ત્રણવિધે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર! જ્ઞાનાંકુશ વડે. ૮૦
અર્થ:- હે મુનિવર! મુનિઓમાં શ્રેષ્ઠ! તું બાર પ્રકારના તપનું આચરણ કર, અને તેર પ્રકારની ક્રિયા મન-વચન-કાયાથી ભાવ તથા જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપી મદમાતા હાથીને પોતાના વશમાં રાખ.
ભાવાર્થ- આ મનરૂપ હાથી ઘણો મદોન્મત્ત છે. તે તપશ્ચરણ ક્રિયાદિક સહિત જ્ઞાનરૂપ અંકુશથી જ વશમાં રહે છે. એ બાર વ્રતનાં નામો નીચે મુજબ છે:- (૧) અનશન, (૨) અવમૌદર્ય, (૩) વૃત્તિ-પરિસંખ્યાન, (૪) રસપરિત્યાગ, (૫) વિવિક્ત શય્યાસન અને (૬) કાયકલેશએ છ પ્રકારના બાહ્યતા છે. અને (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) વ્યુત્સર્ગ અને (૬) ધ્યાન. –આ છ પ્રકારના અભ્યતર તપ છે. તેનું સ્વરૂપ તત્વાર્થસૂત્રની ટીકાથી જાણવું જોઈએ. તેર ક્રિયાઓ આ પ્રકારે છે :- પંચ પરમેષ્ઠીને
૧ ત્રણ વિધે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી. ૨ મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com