________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૭
पयडहिं जिणवरलिंग अभिंतरभावदोसपरिसुद्धो। भावमलेण य जीवो बाहिरसंगम्मि मयलियइ।। ७०।। प्रकट्य जिनवरलिंगं अभ्यन्तरभावदोषपरिशुद्धः ।
भावमलेन च जीवः बाह्यसंगे मलिनयति।। ७०।। થઈ શુદ્ધ આંતર-ભાવ મળવિણ, પ્રગટ કર જિનલિંગને;
જીવ ભાવમળથી મલિન બાહિર-સંગમાં મલિનિત બને. ૭૦ અર્થ:- હે આત્મન્ ! તું અત્યંતર ભાવદોષોથી (રહિત) અત્યંત શુદ્ધ એવું જિનવરલિંગ અર્થાત્ બાહ્ય નિગ્રંથલિંગ પ્રગટ કર ભાવશુદ્ધિ વિના દ્રવ્યલિંગ બગડી જશે. કેમકે ભાવમલિન જીવ બાહ્ય પરિગ્રહમાં મલિન થાય છે.
ભાવાર્થ- જો ભાવથી શુદ્ધ બની દ્રલિંગ ધારણ કરે તો ભ્રષ્ટ ન થાય અને ભાવમલિન હોય તો બાહ્ય પરિગ્રહની સંગતિથી દ્રવ્યલિંગ પણ બગાડે. માટે પ્રધાનપણે ભાવલિંગનો જ ઉપદેશ છે. વિશુદ્ધ ભાવો વિના બાહ્યવેષ ધારણ કરવો યોગ્ય નથી. ૭૦ હવે કહે છે કે જે ભાવરહિત નગ્નમુનિ છે તે હાસ્યનું સ્થાન છે:
धम्मम्मि णिप्पवासो दोसावासो य उच्छुफुल्लसमो। णिप्फलणिग्गुणयारो णडसवणो णग्गरूवेण।। ७१।। धर्मे निप्रवासः दोषावासः च इक्षुपुष्पसमः। निष्फलनिर्गुणकार: नटश्रमण: नग्नरूपेण।। ७१।। નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, દોષાવાસ છે,
તે ‘ઈશુ ફૂલસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧ અર્થ- ધર્મ અર્થાત્ પોતાનો સ્વભાવ તથા દસ લક્ષણસ્વરૂપમાં જેનો વાસ નથી તે જીવ દોષોનું ઘર છે. અથવા જેમાં દોષ છે તે શેરડીના ફૂલ સમાન છે-જેને ન તો કંઈ ફળ લાગે છે કે ન તો કંઈ એનામાં સુગંધ છે. તેથી આવા મુનિ તો નગ્નપણું ધારણ કરીને નટશ્રમણ અર્થાત્ નાચવાવાળા ભાંડના વેષ સમાન છે.
ભાવાર્થ- જેને ધર્મની રુચિ નથી તેનામાં ક્રોધાદિક દોષ જ હોય છે. જો તે દિગમ્બરરૂપ ધારણ કરે તો તે મુનિ શેરડીના ફૂલની જેમ નિર્ગુણ અને નિષ્ફળ છે. એવા મુનિને મોક્ષરૂપી ફળ લાગતાં નથી. સમ્યજ્ઞાનાદિક ગુણ જેનામાં નથી તે નગ્ન હોય તો પણ ભાંડ જેવો વેષધારી
૧ અંતર-ભાવમળવિણ = અભ્યતર ભાવમલિનતા રહિત. ૨ મલિનિત = મલિન. ૩ દોષાવાસ = દોષોનું ઘર. ૪ ઈસુફૂલ = શેરડીનાં ફૂલ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com