________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
(અષ્ટપાહુડી
જીવનો સ્વભાવ જ્ઞાનસ્વરૂપ ભાવવો એમ કહ્યું. હવે તે જ્ઞાન કેટલા પ્રકારનું ભાવવું તે
કહે છે:
भावहि पंचपयारं णाणं अण्णाणणासणं सिग्धं । भावणभावियसहिओ दिवसिवसुहभायणो होइ।। ६५ ।।
भावय पंचप्रकारं ज्ञानं अज्ञान नाशनं शीघ्रम। भावना भावितसहितः दिवशिवसुखभाजनं भवति।।६५।।
તું ભાવ ઝટ અજ્ઞાનનાશન જ્ઞાન પંચપ્રકા૨ રે! એ ભાવનાપરિણત અગ-શિવસૌખ્યનું ભાજન બને. ૬૫
અર્થ - હે ભવ્ય જન! તું આ જ્ઞાન પાંચ પ્રકારથી ભાવ. કેવું છે. આ જ્ઞાન? અજ્ઞાનનો નાશ કરવાવાળું છે. કેવો થઈને ભાવ? ભાવનાથી ભાવેલો જે ભાવ તે સહિત ભાવ, શીધ્રભાવ. તેથી તું દિવ (સ્વર્ગ) અને શિવ (મોક્ષ) ને પાત્ર થઈશ.
ભાવાર્થ:- જો કે જ્ઞાન જાણવાના સ્વભાવથી તો એક પ્રકારનું છે તો પણ કર્મના ક્ષયોપશમ અને ક્ષયની અપેક્ષાથી પાંચ પ્રકારનું છે. તેમાં મિથ્યાત્વભાવની અપેક્ષા અને અવધિ એ ત્રણ મિથ્યાજ્ઞાન કહેવાય છે. આથી મિથ્યાજ્ઞાનનો અભાવ કરવા માટે મતિ. શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન સ્વરૂપ પાંચ પ્રકારનું સમ્યજ્ઞાન જાણીને તેને ભાવવાં. પરમાર્થ વિચારથી જ્ઞાન એક જ પ્રકારનું છે. આ જ્ઞાનની ભાવના સ્વર્ગ-મોક્ષની દાતા છે. ૬૫
હવે કહે છે કે વાંચન અને સાંભળવું પણ ભાવ વિના ફળદાયી નથીઃ
पढिएण वि किं कीरइ किं वा सुणिएण भावरहिएण। भावो कारण भूद्दो सायारणयार भूदाणं।। ६६ ।।
पठितेनापि किं क्रियते किं वा श्रुतेन भावरहितेन। માવ: વIRળમૂત: સાIIIIIIમૂતાનામા, દુદ્દા રે! પઠન તેમ જ શ્રવણ ભાવવિહીનથી શું સધાય છે? 'સાગાર-અણગારત્વના કારણસ્વરૂપે ભાવ છે. ૬૬
અર્થ:- ભાવરહિત વાંચવા-સાંભળવાથી શું થાય? અર્થાત્ કંઈપણ કાર્યકારી નથી. માટે શ્રાવકત્વ અને મુનિત્વના કારણભૂત ભાવ જ છે.
૧ સ્વરગ-શિવસૌખ્ય = સ્વર્ગ અને મોક્ષનાં સુખ. ૨ સાગાર-અણગારત્વ = શ્રાવકપણું અને મુનિપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com