________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
(અષ્ટપાહુડ
કાર્ય દ્રવ્યલિંગથી થતું નથી. ભાવસહિત દ્રવ્યલિંગ થવાથી કર્મની નિર્જરાનું કાર્ય થાય છે. કેવળ દ્રવ્યલિંગથી તો થતું નથી. માટે ભાવસહિત દ્રવ્યલિંગ ધારણ કરવાનો આ ઉપદેશ છે. ૫૪
હવે આ
અર્થને દઢ કરે છે:
णग्गत्तणं अकज्जं भावणरहियं जिणेहिं पण्णत्तं। इय णाऊण य णिय्यं भाविज्जहि अप्पयं धीर।। ५५ ।।
नग्नत्वं अकार्यं भावरहितं जिनै: प्रज्ञप्तम्। इति ज्ञात्वा नित्यं भावये: आत्मानं धीर!।। ५५ ।।
નગ્નત્વ ભાવવિહીન ભાખ્યું અકાર્ય દેવ જિનેશ્વરે, -ઈમ જાણીને હે ધીર! નિત્યે ભાવ તું નિજ આત્મને. ૨૫
અર્થ- ભાવરહિત નગ્નત્વ અકાર્ય છે, કંઈ કાર્યકારી નથી, એવું જિન ભગવાને કહ્યું છે. આ પ્રમાણે જાણીને હું ધીર! હે વૈર્યવાન મુને ! નિરંતર-નિત્ય આત્માની જ ભાવના કર.
ભાવાર્થ- આત્માની ભાવના વિના કેવળ નગ્નત્વ કંઈ કાર્યસાધક નથી. માટે ચિદાનંદ સ્વરૂપ આત્માની જ ભાવના નિરંતર કરવી. આત્માની ભાવના સહિત નગ્નત્વ સફળ થાય છે.
૫૫
હવે શિષ્ય પૂછે છે કે ભાવલિંગને પ્રધાન કરી નિરૂપણ કર્યું છે તો તે ભાવલિંગ કેવું છે? તેનું સમાધાન કરવા માટે ભાવલિંગનું નિરૂપણ કરે છે:
देहादिसंगरहिओ माणकसाएहिं सयलपरिचत्तो। अप्पा अप्पम्मि रओ स भावलिंगी हवे साहू।। ५६ ।।
देहादिसंगरहितः मानकषायैः सकलपरित्यक्तः । आत्मा आत्मनि रतः स भावलिंगी भवेत् साधु ।। ५६ ।।
દેહાદિ સંગ વિહીન છે, વર્ષા સકળ માનાદિ છે, આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. પ૬
અર્થ - ભાવલિંગી સાધુ આવા હોય છે :- દેહાદિક પરિગ્રહોથી રહિત હોય છે, તથા માનકષાયથી રહિત હોય છે અને આત્મામાં લીન રહે છે. તે જ આત્મા ભાવલિંગી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com