________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
માષ (ફોતરાં અને અડદ) એવા શબ્દો રટતાં રટતાં ભાવોની વિશુદ્ધિથી મહાનુભાવ થઈને કેવળજ્ઞાન પામ્યા-આ પ્રગટ છે.
ભાવાર્થ:- કોઈ જાણશે કે શાસ્ત્ર વાંચવાથી સિદ્ધિ છે. તો આ પ્રકારે પણ નથી. શિવભૂતિ મુનિ તુષ-માષ એવા શબ્દ માત્રનું રટણ કરવાથી જ ભાવોની વિશુદ્ધતાથી કેવળજ્ઞાન પામ્યા. એમની કથા આ પ્રમાણે છે-કોઈ શિવભૂતિ નામના મુનિ હતા. તેમણે ગુરૂની પાસે શાસ્ત્રઅભ્યાસ ર્યો પણ ધારણા ન થઈ. ત્યારે ગુરુએ આ શબ્દ ભણાવ્યો કે ‘મા રૂષ મા તુષ’ તેથી આ શબ્દને ગોખવા લાગ્યા. આનો અર્થ આ છે કે રોષ ન કરો, તોષ ન કરો અર્થાત્ રાગદ્વેષ ન કરવાથી સર્વ સિદ્ધિ છે.
પછી તો આ પણ યાદ ન રહ્યું, ત્યારે ‘તુષમાષ' એવો પાઠ ગોખવા લાગ્યા. બન્ને પદોના રૂકા૨ અને તુકાર ભૂલી ગયા અને ‘તુષમાષ’ આ પ્રમાણે યાદ રહી ગયું તથા તેને
ગોખતા રહી વિચારવા લાગ્યા. ત્યારે કોઈ એક સ્ત્રી અડદની દાળ ધોઈ રહી હતી. તેને કોઈએ પૂછ્યું કે ‘શું કરી રહી છે?’ તેણે કહ્યું-‘તુષ અને માપ જુદા જુદા કરી રહી છું'. ત્યારે આ સાંભળીને મુનિએ ‘તુષમાપ ' શબ્દનો ભાવાર્થ એમ જાણ્યો કે આ શરીર તુષ (ફોતરાં ) છે અને આ આત્મા માપ (અડદની દાળ) છે. બન્ને ભિન્નભિન્ન છે. આ રીતે ભાવ જાણીને આત્માનો અનુભવ કરવા લાગ્યા, ચિત્માત્ર શુદ્ધ આત્માને જાણીને તેમાં લીન થયા. ત્યારે ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ પ્રકારે ભાવોની વિશુદ્ધતાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ એવું જાણીને ભાવ શુદ્ધ કરવા આ ઉપદેશ છે. ૫૩
હવે આ જ અર્થને સામાન્ય રૂપથી કહે છેઃ
૧ બાહિર
भावेण होइ णग्गो बाहिरलिंगेण किं च णग्गेण । कम्मपयडीण णियरं णासइ भावेण दव्वेण ।। ५४ ।।
= બાહ્ય.
૧૬૭
भावेन भवति नग्नः बहिर्लिंगेन किं च नग्नेन । कर्मप्रकृतीनां निकरं नाशयति भावेन द्रव्येण । । ५४ ।।
નગ્નત્વ તો છે ભાવથી; શું નગ્ન ‘બાહિ-લિંગથી ? રે! નાશ કર્મસમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. ૫૪
અર્થ:- ભાવથી નગ્ન થવાય છે, બાહ્ય નગ્નલિંગથી શું કાર્ય થાય? અર્થાત્ કાંઈ થતું નથી. કેમકે ભાવસહિત દ્રવ્યલિંગથી કર્મપ્રકૃતિના સમૂહનો નાશ થાય છે.
ભાવાર્થ:- આત્માને કર્મપ્રકૃતિના નાશથી નિર્જરા તથા મોક્ષ થાય તે કાર્ય છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com