________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
(અષ્ટપાહુડ
હવે શાસ્ત્ર પણ વાંચે પરંતુ સમ્યગ્દર્શનાદિ રૂપ ભાવ વિશુદ્ધ ન હોય તો સિદ્ધિ મેળવી શકતા નથી. તેનું ઉદાહરણ અભવ્યસેનનું કહે છે -
केवलिजिणपणत्तं एयादसअंग सयलसुयणाणं। पढिओ अभव्वसेणो ण भावसवणत्तणं पत्तो।। ५२।।
केवलिजिनप्रज्ञप्तं एकादशांगं सकलश्रुतज्ञानम्। पठितः अभव्यसेनः न भावश्रमणत्वं प्राप्तः।। ५२।।
જિનવરકથિત 'એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિતને. પ૨
અર્થ - અભવ્યસેન નામના દ્રવ્યલિંગી મુનિએ કેવળી ભગવાને ઉપદેશેલાં અગિયાર અંગનું વાંચન કર્યું અને અગિયાર અંગને પૂર્ણ શ્રુતજ્ઞાન પણ કહે છે. કારણ કે આટલું વાંચેલાને અર્થની અપેક્ષાથી પૂર્ણ શ્રુતજ્ઞાન પણ થઈ જાય છે. અભવ્યસેને એટલું વાંચન કર્યું છતાં પણ ભાવશ્રમણપણાને પામી શકયો નહીં.
ભાવાર્થ- અહીં એવો આશય છે કે કોઈ જાણશે કે બાહ્યક્રિયા માત્રથી તો સિદ્ધિ નથી પરંતુ શાસ્ત્રવાંચનથી તો સિદ્ધિ છે? તો આ પ્રકારે માનવું પણ સત્ય નથી. કેમકે શાસ્ત્રો વાંચવા માત્રથી પણ સિદ્ધિ નથી. અભવ્યસેન દ્રવ્યલિંગી મુનિ પણ થયા અને અગિયાર અંગ પણ ભણ્યા તો પણ જિનવચનની પ્રતીતિ ન થઈ. તેથી ભાવલિંગ પામ્યા નહિ. અભવ્યસેનની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે ત્યાંથી જાણવી. પર
હવે શાસ્ત્ર ભણ્યા વિના શિવભૂતિ મુનિએ તુષ-માપ ( ફોતરાં અને અડદ) ને ગોખતાં જ ભાવની વિશુદ્ધિ પામી મોક્ષ પ્રાપ્ત ર્યો તેનું ઉદાહરણ કહે છે:
तुसमासं घोसंतो भावविसुद्धो महाणुभावो य। णामेण य सिवभूई केवलणाणी फुड जाओ।। ५३।।
तुषमांष घोषयन् भावविशुद्धः महानुभावश्च । नाम्ना च शिवभूतिः केवलज्ञानी स्फुटं जातः।। ५३ ।।
શિવભૂતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા ‘તુષમાષ પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. પ૩
અર્થ:- આચાર્ય કહે છે કે શિવભૂતિ મુનિએ શાસ્ત્ર વાંચેલા ન હતા. પરંતુ તુષ
૧ એકાદશાંગ = અગિયાર અંગ. ૨ તુષમાષ = ફોતરાં અને અડદ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com