________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
(અષ્ટપાહુડી
તન-ભોજનાદિ પ્રવૃત્તિના તજનાર મુનિ મધુપિંગલે, હે ભવ્યન્ત ! નિદાનથી જ લહ્યું નહીં શ્રમણત્વને. ૪૫
અર્થ - મધુપિંગલ નામના મુનિ કેવા થયા? દેહ આહારાદિની પ્રવૃત્તિ છોડી, પણ નિદાનમાત્રથી ભાવમુનિપણાને પ્રાપ્ત થયા નહીં. તેને ભવ્યજીવોથી નમન યોગ્ય મુનિ! તું જો.
ભાવાર્થ:- મધુપિંગલ નામના મુનિની કથા પુરાણમાં છે તેનો સંક્ષેપ આ પ્રમાણે છે :આ ભરતક્ષેત્રના સુરમ્ય દેશમાં પોદનાપુરના રાજા તૃણપિંગલનો પુત્ર મધુપિંગલ હતો. તે ચારણ યુગલનગરના રાજા સુયોધનની પુત્રી સુલતાના સ્વયંવરમાં આવ્યો હતો. ત્યાં સાકતાપુરીના રાજા સગર આવ્યા હતા. સગરના મંત્રીએ મધુપિંગલને કપટથી નવું સામુદ્રિક શાસ્ત્ર બનાવી દોષ બતાવ્યો કે આના નેત્ર પિંગળા (માંજરાવે છે. જે કન્યા આને પરણશે તેનું મૃત્યુ થશે. ત્યારે કન્યાએ સગરના ગળામાં વરમાળા પહેરાવી દીધી, મધુપિંગલની પસંદગી ન કરી. ત્યારે મધુપિંગલે વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી.
પછી કારણ પામી સગરના મંત્રીનું કપટ જાણી ક્રોધથી નિદાન કર્યું કે મારા તપનું ફળ આ હો “આગલા જન્મમાં સગરના કુળને નિર્મૂળ કરૂં'. ત્યારબાદ મધુપિંગલ મરીને મહાકાલાસુર નામનો અસુર દેવ થયો. ત્યારે સગરને મંત્રી સહિત મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેને ક્ષીરકદમ્બ બ્રાહ્મણનો પુત્ર પાપી પર્વત મળ્યો, ત્યારે પર્વતને પશુઓની હિંસારૂપ યજ્ઞનો સહાયક બન એવું કહ્યું. પર્વતે સગર રાજાને યજ્ઞનો ઉપદેશ કરીને કહ્યું કે તું યજ્ઞ કરાવું હું સહાયક બનીશ. ત્યારે પર્વતે સગર પાસે યજ્ઞ કરાવી પશુ હોમ્યાં. તે પાપથી સગર સાતમા નરક ગયો પરંતુ કાલાસુર સહાયક બની યજ્ઞ કરવાવાળાઓને (માયાથી) સ્વર્ગે જતા બતાવ્યા. આવા મધુપિંગલ નામના મુનિએ નિદાનથી મહાકાલાસુર બનીને મહાપાપનું ઉપાર્જન કર્યું માટે આચાર્ય કહે છે કે મુનિ બની ગયા પછી પણ ભાવ બગડી જાય તો સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આની કથા પુરાણમાં વિસ્તારથી કહેલી છે. ૪૫
હવે વશિષ્ઠ મુનિનું ઉદાહરણ કહે છે:
अण्णं च वसिट्ठमुणी पत्तो दुक्खं णियाणदोसेण। सो णत्थि वासठाणो जत्थ ण ढुरुढुल्लिओ जीवो।। ४६ ।।
अन्यश्च वसिष्ठमुनिः प्राप्तः दुखं निदानदोषेण। तन्नास्ति वासस्थानं यत्र न भ्रमित: जीव!।। ४६ ।।
૧ ભવ્યન્ત = ભવ્ય જીવો જેની પ્રશંસા કરે છે એવા; ભવ્ય જીવો વડે જેને નમવામાં આવે છે એવા. ૨ શ્રમણત્વને = ભાવમુનિપણાને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com