________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૯
અભ્યતર મમત્વભાવરૂપ વાસના તથા ઇષ્ટ-અનિષ્ટમાં રાગદ્વેષ વાસના ન છૂટી તો તેને નિર્ઝન્થ કહેતા નથી. અત્યંતર વાસના છૂટે ત્યારે નિર્ચન્થ મુનિ થાય છે. માટે આ ઉપદેશ છે કે અત્યંતર મિથ્યાત્વ કષાય છોડી ભાવમુનિ બનવું જોઈએ. ૪૩
હવે કહે છે કે જે પહેલાં મુનિ થયા તેમણે ભાવશુદ્ધિ વિના સિદ્ધિ મેળવી નથી. તેમનું ઉદાહરણ માત્ર નામ કહે છે. પ્રથમ જ બાહુબલીનું ઉદાહરણ કહે છે:
देहादिवत्तसंगो माणकसाएण कलुसिओ धीर। अत्तावणेण जादो बाहुबली कित्तियं कालं ।। ४४।।
देहादित्यक्तसंगः मानकषायेन कलुषितः धीर। आतापनेन जात: बाहुबली कियन्तं कालम्।। ४४।।
દેહાદિ સંગ તજ્યો અહો પણ મલિન માનકષાયથી આતાપના કરતા રહ્યા બાહુબલ મુનિ ક્યાં લગી ? ૪૪
અર્થ - જુઓ, શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલી દેહાદિક પરિગ્રહ છોડી નિર્ગસ્થ મુનિ બન્યા તો પણ માન કષાયથી કલુષ પરિણામરૂપ થઈને કેટલોક સમય આતાપન યોગ ધારણ કરી સ્થિર બની ગયા. છતાં પણ સિદ્ધિ પામ્યા નહિ.
ભાવાર્થ- બાહુબલી સાથે ભરત ચક્રવર્તીએ વિરોધ કરી યુદ્ધનો આરંભ ર્યો. ભરતનું અપમાન થયું. ત્યારબાદ બાહુબલી વિરક્ત બની નિર્ગસ્થ મુનિ બની ગયા. પરંતુ કંઈક માનકષાયની કલુષતા રહી ગઈ, કે ભારતની ભૂમિ પર હું કેવી રીતે રહું? ત્યારે કાયોત્સર્ગ યોગથી એક વર્ષ સુધી ઊભા રહ્યા. પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું. પાછળથી કલુષતા મટી ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માટે કહે છે કે આવા મહાન પુરુષ ઘણી શક્તિના ધારકને પણ ભાવશુદ્ધિ વિના સિદ્ધિ પ્રાપ્ત ન થઈ ત્યારે અન્યની તો વાત જ શી? તેથી ભાવોને શુદ્ધ કરવા જોઈએ. એ ઉપદેશ છે. ૪૪
હવે મધુપિંગલ મુનિનું ઉદાહરણ કહે છે:
महुपिंगो णाम मुणी देहाहारादिचत्तवावारो। सवणत्तणं ण पत्तो णियाणमित्तेण भवियणुय।। ४५।।
मधुपिंगो नाम मुनिः देहाहारादित्यक्तव्यापारः। श्रमणत्वं न प्राप्तः निदानमात्रेण भव्यनुत!।। ४५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com