________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
(અષ્ટપાહુડી
मंसट्ठिसुक्कसोणियपित्तंतसवत्तकुणिमदुग्गंधं । खरिसवसापूय 'रिवब्भिस भरियं चिंतेहि देहउडं।। ४२ ।।
मांसास्थिशुक्र श्रोणितपित्तांत्रस्रयवत्कुणिमदुर्गन्धम्। खरिसवसापूयकिल्विषभरितं चिन्तय देहकुटम्।। ४२।।
*પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગધ શબ સમ જ્યાં સૂવે, ચિંતવ તું પીપ-વસાદિ-અશુચિ ભરેલ કાયાકુંભને. ૪૨
અર્થ - હે મુને ! તું દેહરૂપી ઘટને આ પ્રકારે વિચાર. કેવો છે દેહ ઘટ? માંસ, હાડ, શુક (વીર્ય), શ્રણિત (રૂધિર), પિત્ત (ઉષ્ણ વિકાર), અને આંતરડાં વગેરે દ્વારા તત્કાલ શબ જેવી
ધ આવે છે તથા ખરિસ (રૂધિરથી મળેલો અપકવ મળ), વસા (મેદ), પૂ૫ (પરૂ) અને ચરબી-આ બધી મલિન વસ્તુઓથી પૂરું ભરેલું છે. આ રીતે દેહરૂપ ઘટનો વિચાર કરો.
ભાવાર્થ- આ જીવ તો પવિત્ર છે, શુદ્ધ જ્ઞાનમય છે, અને આ દેહ આ પ્રકારે છે. એમાં રહેવું અયોગ્ય છે એમ બતાવ્યું છે. ૪૨
હવે કહે છે કે જે કુટુંબથી છૂટયો તે છુટવાપણું નથી, ભાવથી છૂટેલાને જ છૂટ્યો કહે
भावविमुत्तो मुत्तो ण य मुत्तो बंधवाइमित्तेण। इय भाविऊण उज्झसु गंधं अब्भंतरं धीर।। ४३ ।।
भावविमुक्त: मुक्तः न च मुक्त: बांधवादिमित्रेण। इति भावयित्या उज्झय ग्रन्थमाभ्यंन्तरं धीर!।। ४३।।
રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે, ઈમ ભાવીને હે ધીર! તું પરિત્યાગ આંતરગ્રંથને. ૪૩
અર્થ - જે મુનિ ભાવોથી મુક્ત થયેલ છે તેને મુક્ત કહે છે અને બાંધવ આદિ કુટુંબ તથા મિત્ર આદિથી મુક્ત થયા તેમને મુક્ત થયા કહેતા નથી. આથી હું ધીર મુનિ! તું આ પ્રકારે જાણીને અત્યંતર વાસનાને છોડ.
ભાવાર્થ- જે બાહ્ય બાંધવ-કુટુંબ તથા મિત્રો એમને છોડીને નિર્ગસ્થ થયો અને
૧ પાઠાન્તર – ‘વિભિર''. ૨ પલ = માંસ. ૩ પીપ-વસાદિ = પરૂ, ચરબી વગેરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com