________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૭
दियसंगट्ठियमसणं आहारिय मायभुत्त मण्णांते। छदिखरिसाण मज्झे जढरे वसिओ सि जणणीए।। ४०।।
द्विजसंगस्थितमशनं आहृत्य मातृभुक्तमन्नान्ते। छर्दिखरिसयोर्मध्ये जठरे उषितोऽसि जनन्याः।। ४०।।
જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે ! ૪૦
અર્થ:- હે જીવ! તું જનની (માતા) ના ગર્ભમાં રહ્યો, ત્યાં માતા અને પિતાના ભોગને અંતે છર્દિ ( વમન) નું અન્ન, ખરિસ ( રૂધિરથી મળેલા અપકવમળ) ની વચ્ચે રહ્યો. કેવી રીતે રહ્યો? માતાના દાંતથી ચવાયેલા અને એ દાંતોને ચોટેલું એઠું ભોજન માતાના જમ્યા પછી જે પેટમાં ગયું એના રસ રૂપી આહારથી રહ્યો. ૪)
હવે કહે છે કે ગર્ભમાંથી નીકળ્યા પછી આ પ્રમાણે બાળપણ ભોગવ્યું -
सिसुकाले य अयाणे असूईमज्झम्मि लोलिओ सि तुमं। असुई असिया बहुसो मुणिवर बालत्तपत्तेण।। ४१।।
शिशुकाले च अज्ञाने अशुचिमध्ये लोलितोऽसि त्वम्। अशुचिः अशिता बहुश: मुनिवर! बालत्वप्राप्तेन।। ४१ ।। તું અશુચિમાં લો ઘણું શિશુકાળમાં અણસમજમાં, મુનિવર ! અશુચિ આરોગી છે બહુ વાર તેં બાલત્વમાં. ૪૧
અર્થ:- હે મુનિવર ! તું બચપણમાં અજ્ઞાન અવસ્થામાં અશુચિ (અપવિત્ર) સ્થાનોમાં અશુચિની વચ્ચે સૂતો છે અને ઘણી વાર અશુચિ વસ્તુ ખાધી છે. બાળપણ પામીને આ પ્રકારની ચેષ્ટાઓ કરી છે.
ભાવાર્થ- અહીં “મુનિવર' એ પ્રકારે સંબોધન છે તે પહેલાંની જેમ જાણવું. બાહ્ય આચરણ સહિત મુનિ હોય તેને અહીં મુખ્યપણે ઉપદેશ છે કે બાહ્ય આચરણ કર્યું તે તો મોટું કાર્ય કર્યું, પરંતુ ભાવો વિના તે નિષ્ફળ છે. માટે ભાવની સન્મુખ રહેવું, ભાવો વિના જ આ અપવિત્ર સ્થાન મળ્યાં છે. ૪૧
હવે કહે છે કે આ દેહ આ પ્રમાણે છે તેનો વિચાર કરો -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com