________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૫૩
सो णत्थि दव्वसवणो परमाणुपमाणमेत्तओ णिलओ। जत्थ ण जाओ ण मओ तियलोयपमाणिओ सव्वो।। ३३ ।। सः नास्ति द्रव्यश्रमण: परमाणुप्रमाणमात्रोनिलयः। यत्र न जात: न मृत: त्रिलोकप्रमाणक: सर्वः।। ३३।।
ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કોઈ રહ્યું નથી, જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જન્મ્યો નથી. ૩૩
અર્થ - આ જીવ દ્રવ્યલિંગનું ધારક મુનિપણું પામીને પણ જે ત્રણ લોક પ્રમાણ સર્વ સ્થાન છે તેમાં એક પરમાણુ પરિમાણ એક પ્રદેશ માત્ર પણ એવું સ્થાન નથી કે જ્યાં તેણે જન્મ-મરણ કર્યા ન હોય.
ભાવાર્થ- દ્રવ્યલિંગ ધારણ કરીને પણ આ જીવે સર્વ લોકમાં અનંતવાર જન્મ અને મરણ કર્યા પરંતુ એવો કોઈ પ્રદેશ બાકી રહ્યો નથી કે જેમાં તેણે જન્મ અને મરણ ન કર્યા હોય. આ પ્રકારે ભાવલિંગ વિના દ્રવ્યલિંગથી મોક્ષની (-નિજ પરમાત્મદશાની) પ્રાપ્તિ થઈ નથી એમ જાણવું. ૩૩
હવે આ જ અર્થને દઢ કરવા માટે ભાવલિંગને મુખ્ય કરીને કહે છે:
कालमणंतं जीवो जम्मजरामरणपीडिओ दुक्खं। जिणलिंगेण वि पत्तो परंपराभावरहिएण।।३४।। कालमनंतं जीवः जन्मजरामरणपीडितः दुःखम्। जिनलिंगेन अपि प्राप्तः परम्पराभावरहितेन।। ३४।।
જીવ જનિ-જરા-મૃતતપ્ત કાળ અનંત પામ્યો દુ:ખને, જિનલિંગને પણ ધારી પારંપર્યભાવવિહીનને. ૩૪
અર્થ:- આ જીવ આ સંસારમાં જેમાં પરંપરા ભાવલિંગ ન હોવાથી અનંત કાળ પર્યત જન્મ-જરા-મરણથી પીડિત વર્તતો થકો દુઃખ જ પામ્યો.
ભાવાર્થ- દ્રવ્યલિંગ ધારણ કર્યું અને તેમાં પરંપરાએ પણ ભાવલિંગની પ્રાપ્તિ ન થઈ એથી મુનિપણું નિષ્ફળ ગયું, મોક્ષની પ્રાપ્તિ ન થઈ, સંસારમાં જ ભ્રમણ કર્યા કર્યું.
૧ જનિ-જરા-મૃતતપ્ત = જન્મ, જરા અને મરણથી પીડિત વર્તતો થયો. ૨ પારંપર્ય ભાવવિહીન = પરંપરાગત ભાવલિંગથી રહિત આચાર્યોની પરંપરાથી ચાલ્યા આવતા
ભાવલિંગ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com