________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
(અષ્ટપાહુડી
(૧૦) જે પ્રશસ્ત ક્રિયામાં આળસુ હોય, વ્રતાદિકમાં શક્તિને છુપાવે, ધ્યાનાદિકથી દૂર ભાગે-આ પ્રકારનું મરણ “પલાય મરણ” છે.
(૧૧) “વશારૂં મરણ” ચાર પ્રકારના છે–તે આર્ત-રૌદ્ર ધ્યાનસહિત મરણ છે. (૧) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ સહિત મરણ “ઇન્દ્રિય વશારૂં મરણ” છે. (૨) શાતાઅશાતાની વેદના સહિત મરે તે “વેદનાવશા મરણ” છે. (૩) ક્રોધ, માન, માયા, લોભ કપાયના વશથી મૃત્યુ પામે તે “કષાયવશારૂં મરણ” છે. (૪) હાસ્ય, વિનોદ કષાયના વશથી મૃત્યુ પામે તે “નોકષાયવસારૂં મરણ” છે.
(૧૨) જે પોતાના વ્રત, ક્રિયા, ચારિત્રમાં ઉપસર્ગ આવે તે સહન ન થઈ શકે અને ભ્રષ્ટ થવાનો ભય આવે ત્યારે અશક્ત બનીને અન્ન-પાણીનો ત્યાગ કરી મૃત્યુ પામે તે વિપ્રાણસ મરણ” છે.
(૧૩) શસ્ત્રગ્રહણ કરીને મૃત્યુ પામે તો “ગૃધ્રપૃષ્ઠ મરણ” છે.
(૧૪) અનુક્રમથી અન્નપાણીનો યથાવિધિ ત્યાગ કરીને મૃત્યુ પામે તે ભક્તપ્રત્યાખ્યાન મરણ” છે.
(૧૫) સન્યાસ ગ્રહણ કરે અને બીજા પાસે વૈયાવૃત્ત કરાવે તે “ઇંગિની મરણ” છે.
(૧૬) પ્રાયોપગમન સન્યાસ ગ્રહણ કરે અને કોઈ પાસે વૈયાવૃત્ત ન કરાવે તથા પોતે પોતાથી પણ ન કરે, અર્થાત્ પ્રતિમા યોગ રહે તે “પ્રાયોપગમન મરણ” છે.
(૧૭) કેવળી મુક્તિ પ્રાપ્ત કરે તે “કેવળી મરણ' છે.
આ પ્રકારે સત્તર પ્રકાર કહ્યા. એમનું સંક્ષેપ આ પ્રમાણે છે. મરણ પાંચ પ્રકારના છે(૧) પંડિતપંડિત, (૨) પંડિત, (૩) બાલપંડિત, (૪) બાલ, (૫) બાલબાલ, (૧) જે
ન-ચારિત્રના અતિશય સહિત હોય તે પડતડિત છે અને (૨) એમની પ્રકર્ષતા જેમને નથી તે પંડિત છે. (૩) સમ્યગ્દષ્ટિ શ્રાવક તે બાલ પંડિત (૪) પહેલા ચાર પ્રકારના પંડિત કહેલ એમનામાંથી એક પણ ભાવ જેનામાં ન હોય તે બાલ છે. અને (પ) જે બધાથી ન્યૂન હોય તે બાલબાલા છે. એમાં પંડિતપંડિત મરણ, પંડિત મરણ અને બાલપંડિત મરણ એ ત્રણ પ્રશસ્ત સુમરણ કહેવાય છે. અન્ય રીતે હોય તો તે કુમરણ છે. આ પ્રમાણે જે એકદેશ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સહિત મૃત્યુ પામે તે સુમરણ છે. આ પ્રકારે સુમરણ કરવાનો ઉપદેશ છે. ૩ર
હવે આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે, તે ભ્રમણના પરાવર્તનનું સ્વરૂપ મનમાં ધારણ કરી નિરૂપણ કરે છે. પ્રથમ જ સામાન્યરૂપથી લોકના પ્રદેશોની અપેક્ષાથી કહે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com