________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫O
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- આત્માનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ નિશ્ચય રત્નત્રય છે અને બાહ્યમાં એનો વ્યવહાર-જીવ-અજીવ આદિ તત્ત્વોને શ્રદ્ધાન, તથા જાણવું અને પરદ્રવ્ય-પરભાવનો ત્યાગ કરવો. આ રીતે નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ રત્નત્રય મોક્ષનો માર્ગ છે. ત્યાં નિશ્ચય તો મુખ્ય છે, એના વિના વ્યવહાર સંસારસ્વરૂપ જ છે. વ્યવહાર છે તે નિશ્ચયના સાધનસ્વરૂપ છે, તેના વિના નિશ્ચયની પ્રાપ્તિ નથી અને નિશ્ચયની પ્રાપ્તિ થઈ ગયા પછી વ્યવહાર કાંઈ નથી-આ પ્રકારે જાણવું જોઈએ. ૩૧* સંસારમાં આ જીવે જન્મ-મરણ કર્યા તે કુમરણ છે. હવે સુમરણનો ઉપદેશ કરે છે:
अण्णे कुमरणमरणं अणेयजम्मतराई मरिओ सि। भावहि सुमरणमरणं जरमरणविणासणं जीव!।। ३२।।
अन्यस्मिन् कुमरणमरणं अनेकजन्मान्तरेषु मृतः असि। भावय सुमरणमरणं जन्ममरणविनाशनं जीव!।। ३२।। હે જીવ! કુમરણ મરણથી તું મર્યો અનેક ભવો વિષે; તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨
અર્થ - હે જીવ! આ સંસારમાં અનેક જન્માંતરોમાં અન્ય કુમરણ મરણ જેવા હોય છે તેવા તું મર્યો. હવે તું જે મરણથી જન્મ-મરણનો નાશ થઈ જાય એ પ્રકારનું સ્મરણ ભાવ અર્થાત સમાધિ-મરણની ભાવના ભાવ.
ભાવાર્થ- અન્ય શાસ્ત્રોમાં મરણના સંક્ષેપથી સત્તર પ્રકાર કહ્યા છે. તે આ રીતે છે:૧ આવીચિકા મરણ, ૨ તદ્દભવ મરણ, ૩ અવધિ મરણ, ૪ આદ્યાન્ત મરણ, ૫ બાલ મરણ, ૬ પંડિત મરણ, ૭ આસન્મ મરણ, ૮ બાલપંડિત મરણ, ૯ સશલ્ય મરણ, ૧૦ પલાય મરણ, ૧૧ વશારૂં મરણ, ૧૨ વિપ્રાણસ મરણ, ૧૩ ગૃધ્રપૃષ્ઠ મરણ, ૧૪ ભક્તપ્રત્યાખ્યાન મરણ, ૧૫ ઇંગિની મરણ, ૧૬ પ્રાયોપગમન મરણ અને ૧૭ કેવલિ મરણ. આ પ્રમાણે સત્તર છે.
એમનું સ્વરૂપ આ પ્રમાણે છે :
(૧) આયુકર્મનો ઉદય સમયે સમયે ઘટે છે તે સમય સમય મરણ છે, તે “આવીચિકા મરણ' છે.
(૨) વર્તમાન પર્યાયનો અભાવ “તદ્ભવ મરણ” છે.
(૩) જેમ મરણ વર્તમાન પર્યાયનું હોય છે તેમ જ ભવિષ્યની પર્યાયનું પણ થશે તે અવધિ મરણ” છે. તેના બે ભેદ છે : જેવો પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ વર્તમાનનો ઉદય
* નોંધ:- અહીં એમ ન સમજવું કે પ્રથમ વ્યવહાર હોય અને પછી નિશ્ચય હોય. પરંતુ ભૂમિકા અનુસાર પ્રારંભથી જ નિશ્ચયવ્યવહાર સાથે હોય છે. “નિમિત્ત વિના” શાસ્ત્રમાં જે અર્થ કહ્યો છે તેનાથી વિરૂદ્ધ નિમિત્ત ન હોય એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com