________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૯
હવે કહે છે કે હે આત્મન્ ! તે આ દીર્ઘ સંસારમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની પ્રાપ્તિ વિના ભ્રમણ કર્યું. માટે હવે રત્નત્રય ધારણ કર:
रयणत्तये अलद्धे एवं भमिओ सि दीहसंसारे। इय जिणवरेहिं भणियं तं रयणत्तय समायरह।।३०।।
रत्नत्रये अलब्धे एवं भ्रमितोऽसि दीर्घसंसारे। इति जिनवरैर्भणितं तत् रत्नत्रयं समाचर।।३०।।
વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્થસંસારે ભમ્યો, ભાનું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦
અર્થ - હે જીવ! તું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને પામ્યો નહિ તેથી આ દીર્ઘકાળથી-અનાદિ સંસારમાં પહેલાં કહ્યા પ્રમાણે ભ્રમણ કર્યું. આ રીતે જાણીને હવે તું તે રત્નત્રયનું આચરણ કર. આ પ્રમાણે જિનેશ્વરદેવે કહ્યું છે.
ભાવાર્થ:- નિશ્ચય રત્નત્રય પામ્યા વિના આ જીવ મિથ્યાત્વના ઉદયથી સંસારમાં ભ્રમણ કરે છે. તેથી રત્નત્રયના આચરણનો ઉપદેશ છે. ૩)
હવે શિષ્ય પૂછે છે કે તે રત્નત્રય કેવા છે? તેનું સમાધાન કરે છે કે રત્નત્રય આ પ્રકારે
છે:
अप्पा अप्पम्मि रओ सम्माइट्ठी हवेइ फुडु जीवो। जाणइ तं सण्णाणं चरदिहं चारित्त मग्गो त्ति।।३१।।
आत्मा आत्मनि रतः सम्यग्दृष्टि: भवति स्फुटं जीवः। जानाति तत् संज्ञानं चरतीह चारित्रं मार्ग इति।।३१।।
નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, 'તદ્ધોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે; –માર્ગ એ. ૩૧
અર્થ - જે આત્મા, આત્મામાં રત થઈને યથાર્થ રૂપનો અનુભવ કરી તદ્રુપ થઈને શ્રદ્ધાન કરે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ થાય છે તે આત્માને જાણવો સમ્યજ્ઞાન છે અને તે આત્મામાં આચરણ કરીને રાગ-દ્વેષરૂપ ન પરિણમવું સમ્યક ચારિત્ર છે. આ પ્રમાણે આ નિશ્ચય રત્નત્રય છે-મોક્ષમાર્ગ છે.
૧ તબોધ = તેનું જ્ઞાન; નિજ આત્માને જાણવું તે. ૨ ચરણ = સમ્મચારિત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com