________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
(અષ્ટપાહુડ
છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તેં મરણો કર્યા અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ વિષે નિગોદનિવાસમાં. ૨૮
અર્થ - હે આત્મન્ ! તું નિગોદનાં વાસમાં એક અંતર્મુહૂર્તમાં છાસઠહજાર ત્રણસો છત્રીસવાર મરણને પ્રાપ્ત થયો છે.
ભાવાર્થ- નિગોદમાં એક વ્યાસના અઢારમાં ભાગપ્રમાણે આયુષ્ય હોય છે. ત્યાં એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ ગણાય છે. તેમાં છત્રીસસો પચ્ચાસી શ્વાસોચ્છવાસ અને એક શ્વાસના ત્રીજા ભાગના છાંસઠ હજાર ત્રણસો છત્રીસવાર નિગોદમાં જન્મ મરણ થાય છે. તેનું દુઃખ આ પ્રાણી સમ્યગ્દર્શનભાવ પામ્યા વિના મિથ્યાત્વના ઉદયથી વશીભૂત થઈને સહે છે. અર્થાત્ અંતર્મુહૂર્તમાં છાસઠહજાર ત્રણસો છત્રીસ વાર જન્મ-મરણ કહ્યા, તે એક મુહૂર્તમાં અઠ્યાસી શ્વાસ ઓછા એ પ્રકારે અંતમુહૂર્તમાં જાણવું જોઈએ. ૨૮
(વિશેષાર્થ:- ગાથામાં આવેલ “નિરોય વારસન્મિ' શબ્દની સંસ્કૃત છાયામાં ‘નિજોતા વાસે' છે. નિગોદ શબ્દ એકેન્દ્રિય વનસ્પતિ કાયિક જીવોના સાધારણ ભેદમાં રૂઢ છે. જ્યારે નિકોત” શબ્દ પાંચેય ઈન્દ્રિયોના સમૂર્ઝન જન્મથી ઉત્પન્ન થવાવાળા લબ્ધપર્યાપ્તક જીવોને માટે પ્રયુક્ત થાય છે. તેથી અહીં જે ૬૬૩૩૬ વાર મરણની સંખ્યા છે તે પાંચેય ઇન્દ્રિયોને સંમિલિત સમજવી જોઈએ. આ જ અંતર્મુહૂર્તના જન્મ મરણમાં ક્ષુદ્ર ભવનું વિશેષ કહે છે:
वियलिंदए असीदी सट्ठी चालीसमेव जाणेह। पंचिंदिय चउवीसं खुद्दभवंतोमुहुत्तस्स।।२९।। विकलेंद्रियाणामशीति पष्टिं चत्वारिंशतमेव जानीहि। पंचेन्द्रियाणां चतुर्विंशति क्षुद्रभवान् अन्तर्मुहूर्तस्य ।। २९ ।। રે! જાણ એંશી સાઠ ચાલીશ શુદ્ર ભવ વિકલૈંદ્રિના, અંતર્મુહૂર્ત ક્ષુદ્રભવ ચોવીશ પંચેન્દ્રિય તણા. ૨૯
અર્થ - આ અંતર્મુહૂર્તના ભવોમાં બે ઇન્દ્રિયના ક્ષુદ્ર ભવ એસી, ત્રિઇન્દ્રિયના સાઠ, ચૌઈન્દ્રિયના ચાલીસ અને પંચેન્દ્રિયના ચોવીસ-આ પ્રકારે હે આત્મન્ ! તું ક્ષુદ્ર ભવ જાણ.
ભાવાર્થ - ક્ષુદ્ર ભવ અન્ય શાસ્ત્રોમાં આ પ્રકારે ગયા છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને સાધારણ નિગોદના સૂક્ષ્મ બાદરથી દસ અને સપ્રતિષ્ઠિત વનસ્પતિ એક-આ પ્રકારે અગિયાર સ્થાનોનાં ભવ તો એક-એકના છહજાર વાર, તેના છાંસઠહજાર એકસો બત્રીસ થયા. અને આ ગાથામાં કહ્યા તે ભવ બે ઇન્દ્રિય આદિના બસો ચાર-આમ ૬૬૩૩૬ એક અંતર્મુહૂર્તમાં ક્ષુદ્ર ભવ કહ્યા છે. ૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com