________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૧
ભાવાર્થ:- જે મુનિ કહેવડાવે અને વસ્તિકા બાંધીને આજીવિકા ચલાવે તેને પાર્વસ્થ વેષધારી કહે છે. જે કષાયી બનીને વ્રતાદિથી ભ્રષ્ટ થાય, સંઘનો અવિનય કરે-આ પ્રકારના વેષધારીને કુશીલ કહે છે. જે વૈધક, જ્યોતિષવિદ્યા, મંત્રથી આજીવિકા ચલાવે, રાજાદિના સેવક થાય-આ પ્રકારના વેષધારીને સંસક્ત કહે છે. જે જિનસૂત્રથી પ્રતિકૂળ, ચારિત્રથી ભ્રષ્ટ, આળસુ-આવા પ્રકારના વેષધારીને “અવસગ્ન' કહે છે. ગુરુનો આશ્રય છોડીને એકાકી સ્વચ્છેદે પ્રવર્તે, જિન આજ્ઞાનો લોપ કરે-એવા વેષધારીને મૃગચારી કહે છે. એની ભાવના ભાવે તે દુઃખને જ પ્રાપ્ત થાય છે. ૧૪
એવો દેવ થઈને માનસિક દુ:ખ પામ્યો એમ કહે છે:
देवाण गुण विहई इड्ढी माहप्प बहुविहं दटुं। होऊण हीणदेवो पत्तो बहु माणसं दुक्खं ।। १५ ।। देवानां गुणान् विभूती: ऋद्धी: माहात्म्यं बहुविधं दृष्ट्वा। भूत्वा हीनदेवः प्राप्तः बहु मानसं दुःखम्।।१५।। રે! હીન દેવ થઈ તું પામ્યો તીવ્ર માનસ દુ:ખને, દેવો તણા ગુણ વિભવ, ઋદ્ધિ, મહાભ્ય બહુવિધ દેખીને. ૧૫
અર્થ- હે જીવ! તું હીન દેવ થઈને અન્ય મા ઋદ્ધિવાળા દેવોના ગુણો, વિભૂતિ અને ઋદ્ધિના અનેક પ્રકારના માહાભ્યને જોઈને તીવ્ર માનસિક દુઃખો પામ્યો.
ભાવાર્થ- સ્વર્ગમાં ઊતરતી કક્ષાનો દેવ થઈને મોટા ઋદ્ધિધારી દેવની અણિમાદિ ગુણોની વિભૂતિ જુએ તથા દેવાંગના આદિનો મોટો પરિવાર જુએ અને આજ્ઞા, ઐશ્વર્ય આદિનું માહામ્ય જુએ ત્યારે મનમાં આ પ્રકારે વિચારે કે હું પુણ્યરહિત છું, તેઓ મોટા પુણ્યવાન છે, તેમની આવી વિભૂતિ માહાભ્ય-ઋદ્ધિ છે. આવા પ્રકારે વિચાર કરવાથી તીવ્ર માનસિક દુઃખ થાય છે. ૧૫
હવે કહે છે કે અશુભ ભાવનાથી નીચ દેવ થઈને આવું દુઃખ પામે છે એમ કહીને આ કથનને સંકોચે છે -
चउविहविकहासत्तो मयमत्तो असुहभावपयडत्थो। होऊण कुदेवत्तं पत्तो सि अणेयवाराओ।। १६ ।।
चतुर्विधविकथासक्त: मदमत्त: अशुभभावप्रकटार्थः। भूत्वा कुदेवत्वं प्राप्तः असि अनेकवारान्।। १६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com