________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
(અષ્ટપાહુડ
શુદ્ધ ઉપયોગ સન્મુખ ન હોય તેને પ્રધાનતાથી ઉપદેશ છે કે મુનિ થયો તે તો મોટું કાર્ય કર્યું, તારો યશ લોકમાં પ્રસિદ્ધ થયો, પરંતુ ભલી ભાવના અર્થાત્ શુદ્ધાત્મતત્વના અભ્યાસ વિના તપશ્ચરણાદિ કરીને સ્વર્ગમાં દેવ પણ થયો તો ત્યાં પણ વિષયોનો લોભી થઈને માનસિક દુઃખથી જ તપ્તાયમાન થયો. ૧૨
હવે શુભ ભાવનાથી રહિત અશુભ ભાવનાનું નિરૂપણ કરે છે
कंदप्प माइयाओ पंच वि असुहादि भावणाई य। भाऊण दव्वलिंगी पहीणदेवो दिवे जाओ।।१३।।
कांदीत्यादी: पंचापि अशुभादिभावनाः च। भावयित्वा द्रव्यलिंगी प्रहीणदेवः दिवि जातः।।१३।।
તું સ્વર્ગલોકે હીન દેવ થયો, દરવલિંગીપણે કાંદર્પો-આદિક પાંચ બૂરી ભાવનાને ભાવીને. ૧૩
અર્થ - હે જીવ! તું દ્રવ્યલિંગી મુનિ થઈને કાંદર્પ આદિ પાંચ અશુભ ભાવના ભાવીને પ્રહીણદેવ અર્થાત નીચ દેવ થઈને સ્વર્ગમાં ઉત્પન્ન થયો.
ભાવાર્થ- કાંદર્પ, કિલ્વિષિકી, સંમોહી, દાનવી અને અભિયોગિકી–આ પાંચ અશુભ ભાવના છે. નિગ્રંથ મુનિ થઈને સમ્યભાવના વિના આ અશુભ ભાવનાઓ ભાવી ત્યારે કિલ્પિષ આદિ નીચ દેવ થઈને માનસિક દુઃખને પ્રાપ્ત થયો છે. ૧૩
આગળ દ્રવ્યલિંગી પાર્થસ્થ આદિ થાય છે તેને કહે છે:
पासत्थभावणाओ अणाइकालं अणेयवाराओ। भाउण दुहं पत्तो कु भावणा भाव बीएहिं।।१४।।
पार्श्वस्थभावनाः अनादिकालं अनेकवारान्। भावयित्वा दुःखं प्राप्तः कुभावना भाव बीजैः।। १४ ।।
બહુ વાર કાળ અનાદિથી પાર્શ્વસ્થ-આદિક ભાવના, તે ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુ:ખો લહ્યાં. ૧૪
અર્થ:- હે જીવ! તું પાર્વસ્થ ભાવના અનંતવાર ભાવીને અનાદિ કાળથી દુઃખને પ્રાપ્ત થયો. શા કારણે દુઃખ પામ્યો? કુભાવના અર્થાત ખોટી ભાવના, તેનો ભાવ-તે જ થયું દુઃખનું બીજ, તેનાથી દુઃખ પામ્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com