________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૯
હવે મનુષ્યગતિના દુ:ખોને કહે છે:
आगंतुक माणसियं सहजं सारीरियं च चत्तारि। दुक्खाई मणुयजम्मे पत्तो सि अणंतयं कालं।। ११ ।। आगंतुकं मानसिकं सहजं शारीरिकं च चत्वारि। दुःखानि मनुजजन्मनि प्राप्तोऽसि अनन्तकं कालं ।।११।। તે સહજ, કાયિક, માનસિક, આગંતુ-ચાર પ્રકારનાં
દુ:ખો લહ્યાં નિ:સીમ કાળ મનુષ્ય કરો જન્મમાં. ૧૧ અર્થ - હે જીવ! તે મનુષ્યગતિમાં અનંતકાળ સુધી આગંતુક અર્થાત્ અકસ્માત વીજળી આદિ પડવાથી, માનસિક અર્થાત્ મનમાં જ હોવાવાળા વિષયોની વાંછાનું હોવું અને તદનુસાર ન મળવું, સહજ અર્થાત્ માતા, પિતાદિ દ્વારા સહજથી જ ઉત્પન્ન થવું એટલે કે રાગ-દ્વેષાદિકથી વસ્તુને ઇષ્ટ-અનિષ્ટ માનવાથી દુ:ખ થવું તથા શારીરિક અર્થાત્ વ્યાધિ-રોગાદિક તેમજ પારકાથી છેદન, ભેદન આદિથી થયેલ દુઃખ-આ ચાર પ્રકારના અને આ ચારથી લઈને અનેક પ્રકારનાં દુ:ખ પામ્યો. ૧૧
હવે દેવગતિનાં દુઃખો કહે છે:
सुरणिलयेसु सुरच्छरवि ओयकाले य माणसं तिव्वं । संपत्तो सि महाजस दु:खं सुहभावणारहिओ।।१२।। सुरनिलयेषु सुराप्सरावियोगकाले च मानसं तीव्रम्। संप्राप्तोऽसि महायश! दुःखं शुभभावनारहितः।।१२।। સુર-અપ્સરાના વિરહકાળે હે મહાયશ ! સ્વર્ગમાં શુભભાવનાવિરહિતપણે તે તીવ્ર માનસ દુઃખ સહ્યાં. ૧૨
અર્થ - હે મહાયશ! તે સુરનિલયેષુ અર્થાત્ દેવલોકમાં સુરાસરાના અર્થાત્ પ્રિય દેવ અને પ્રિય અપ્સરાના વિયોગકાળે તેના વિયોગ સંબંધી દુઃખ તથા ઇન્દ્રાદિક મોટા ઋદ્ધિધારીઓને જોઈને પોતાને હીન-તુચ્છ માનીને માનસિક તીવ્ર દુઃખોને શુભભાવનાથી રહિત થઈને પ્રાપ્ત કર્યા છે.
ભાવાર્થ- અહીં “મહાયશ” એવું સંબોધન કર્યું. તેનો આશય એ છે કે જે મુનિ નિગ્રંથ લિંગ ધારણ કરે અને દ્રવ્યલિંગી મુનિની સમસ્ત ક્રિયા કરે. પરંતુ આત્માનું સ્વરૂપ
૧ આગંતુ = આગંતુક, બહારથી આવી પડેલ. ૨ શુભભાવના = સારી ભાવના અર્થાત શુદ્ધ પરિણતિ. ૩ માનસ = માનસિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com