________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૭
અર્થ:- હે સન્દુરુષ! અનાદિ કાળથી લઈને આ અનંત સંસારમાં તે ભાવરહિત નિગ્રંથરૂપ ઘણીવાર ગ્રહણ કર્યા અને છોડ્યાં.
ભાવાર્થ- ભાવ જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેમના વિના બાહ્ય નિગ્રંથરૂપ દ્રલિંગ સંસારમાં અનંત કાળથી લઈને ઘણીવાર ધારણ કર્યા અને છોડ્યાં તો પણ કંઈ સિદ્ધિ ન થઈ. ચારે ગતિઓમાં ભ્રમણ જ કરતો રહ્યો. ૭
તે જ કહે છે:
भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए। पत्तो सि तिव्वदुक्खं भावहि जिणभावणा जीवः ।।८।। भीषण नरक गतौ तिर्यग्गतौ कुदेव मनुष्य गत्योः। प्राप्तोऽसि तीव्रदुःखं भावय जिनभावना जीवः ।। ८ ।। ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં,
તેં જીવ,! તીવ્ર દુ:ખો સહ્યાં; તું ભાવ રે !જિનભાવના ૮ અર્થ - હે જીવ! તેં ભીષણ (ભયંકર) નરકગતિ તથા તિર્યંચ ગતિમાં અને કુદેવકુમનુષ્યગતિમાં તીવ્ર દુઃખ પ્રાપ્ત કર્યા છે. એટલે હવે તું જિનભાવના અર્થાત્ શુદ્ધ આત્મતત્ત્વની ભાવના ભાવ. તેથી તારૂં સંસાર ભ્રમણ મટી જશે.
ભાવાર્થ:- આત્માની ભાવના વિના ચાર ગતિના દુઃખ અનાદિ કાળથી સંસારમાં પામ્યો. તેથી હવે હે જીવ! તું જિનેશ્વરદેવનું શરણ લે અને શુદ્ધ સ્વરૂપની ભાવનારૂપ વારંવાર અભ્યાસ કરી તેથી સંસારના ભ્રમણથી રહિત મોક્ષને પ્રાપ્ત કરીશ. આ ઉપદેશ છે. ૮ હવે ચાર ગતિનાં દુઃખોને વિશેષરૂપથી કહે છે. પહેલાં નરકગતિનાં દુઃખો કહે છે:
सत्तसु णरयावासे दारुण भीमाइं असहणीयाई। भुत्ताई सुइरकालं दुःकरवाई णिरंतरं सहियं ।।९।। 'सप्तसु नरकावासेषु दारुणभीषणानि असहनीयानि। भुक्तानि सुचिरकालं दुःखानि निरंतरं सोढानि ।।९।। ભીષણ સુતીવ્ર અસહ્ય દુ:ખો સપ્ત નરકાવાસમાં બહુ દીર્ઘ કાળપ્રમાણ તે વેધાં, અછિન્નપણે સહ્યાં. ૯
૧ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘સપ્તસુ નરવાસે' એવો પાઠ છે. ૨ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘સ્વદિત' એવો પાઠ છે. ‘સદિય' એની છાયામાં. ૩ અછિન્ન = સતત; નિરંતર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com