________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
(અષ્ટપાહુડ
અર્થ:- જો મુનિ થઈને પરિણામ અશુદ્ધ હોઈને બાહ્ય પરિગ્રહને છોડે તો બાહ્ય પરિગ્રહનો ત્યાગ તે ભાવરહિત મુનિને શું કરે? અર્થાત્ કંઈપણ લાભ કરતો નથી.
ભાવાર્થ:- જે બાહ્ય પરિગ્રહ છોડીને મુનિ બની જાય અને પરિણામ પરિગ્રહરૂપ અશુદ્ધ હોય, અત્યંતર પરિગ્રહુ ન છોડે તો બાહ્યત્યાગ કંઈ કલ્યાણરૂપ ફળ આપી શકતા નથી. સમ્યગ્દર્શનાદિ ભાવ વિના કર્મ નિર્જરારૂપ કાર્ય થતું નથી. ૫
પૂર્વની ગાથાથી આમાં એ વિશેષતા છે કે જો મુનિપદ પણ લે અને પરિણામ ઉજ્વલ ન રહે, આત્મજ્ઞાનની ભાવના ન રહે તો કર્મ કપાતાં નથી. હવે ઉપદેશ કરે છે કે ભાવને પરમાર્થ જાણીને તેને જ અંગીકાર કરોઃ
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण। पंपिंय सिवपुरिपंथं जिणउवइ8 पयत्तेण।।६।। जानीहि भावं प्रथमं किं ते लिंगेन भावरहितेन। पथिक शिवपुरी पंथा: जिनोपदिष्टः प्रयत्नेन।।६।। છે ભાવ પરથમ, ભાવરહિત લિંગથી શું કાર્ય છે?
હે પથિક! શિવનગરી તણો પથ યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬ અર્થ:- હે શિવપુરીના પથિક ! પ્રથમ ભાવને જાણ. ભાવરહિત લિંગથી તને શું પ્રયોજન છે? શિવપુરીનો પંથ જિનભગવંતોએ પ્રયત્ન સાધ્ય કહ્યો છે.
ભાવાર્થ:- પરમાર્થથી જિનેશ્વરદેવે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-આત્મભાવ સ્વરૂપ કહ્યો છે. તેથી તેને જ પરમાર્થ જાણીને સર્વ ઉદ્યમથી અંગીકાર કરો. કેવળ દ્રવ્યમાત્ર લિંગથી શું સાધ્ય છે? આ પ્રમાણે ઉપદેશ છે. ૬
હવે કહે છે કે દ્રવ્યલિંગ આદિ તે ઘણા ધારણ કર્યા પરંતુ તેનાથી કંઈ પણ સિદ્ધિ થઈ નહીં:
भावरहिएण सपुरिस अणाइकालं अणंतसंसारे। गहिउज्झियाई वहुसो बाहिरणिग्गंथरूवाई।।७।। भावरहितेन सत्पुरुष! अनादिकालं अनंतसंसारे।
गृहीतोज्झितानि बहुशः बाह्यनिग्रंथ रूपाणि।।७।। સપુરુષ! કાળ અનાદિથી નિઃસીમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિર્નિચેંથરૂપ ગ્રહ્યાં-તજ્યાં. ૭
૧ યત્ન = પ્રયત્ન (શુદ્ધભાવરૂપ) ઉધમ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com