________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
(અષ્ટપાહુડ
૨સ, ગંધ અને વર્ણ સ્વરૂપ જડ છે. એમની અવસ્થાથી અવસ્થાંતરરૂપ થવું એવા પરિણામને ‘ભાવ' કહે છે. જીવનો સ્વભાવ-પરિણામરૂપ ભાવ તો દર્શન-જ્ઞાન છે અને પુદ્દગલ કર્મના નિમિત્તથી જ્ઞાનમાં મોહ-રાગ-દ્વેષ થયો તે વિભાવ ભાવ છે. પુદ્દગલના સ્પર્શથી સ્પર્ધાન્તર, રસથી ૨સાંતર ઇત્યાદિ ગુણથી ગુણાંતર થવો તે સ્વભાવ-ભાવ છે અને ૫૨માણુથી સ્કંધ થવો તથા સ્કંધથી અન્ય સ્કંધ થવો અને જીવના ભાવના નિમિત્તથી કર્મરૂપ થવું તે ‘વિભાવ-ભાવ ’ છે. આ પ્રકારે તેમના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવ થાય છે.
પુદ્દગલ તો જડ છે. એના નૈમિત્તિક ભાવથી કંઈ સુખ દુ:ખ વગેરે થતું નથી. અને જીવ ચેતન છે. એના નિમિત્તથી ભાવ થાય છે-એનાથી સુખ દુઃખ વગેરે થાય છે. તેથી જીવને સ્વભાવ-ભાવરૂપ રહેવાનો અને નૈમિત્તિકભાવરૂપ ન પ્રવર્તવાનો ઉપદેશ છે. જીવને પુદ્ગલકર્મના સંયોગથી દેહાદિક દ્રવ્યનો સંબંધ છે. આ બાહ્ય રૂપને ‘દ્રવ્ય’ કહે છે, અને ‘ભાવ’ થી દ્રવ્યની પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારે દ્રવ્યની પ્રવૃત્તિ થાય છે. આ રીતે દ્રવ્ય-ભાવનું સ્વરૂપ જાણીને સ્વભાવમાં પ્રવર્તે, વિભાવમાં ન પ્રવર્તે તેને પરમાનન્દ સુખ થાય છે; અને વિભાવ રાગ દ્વેષ મોહરૂપ પ્રવર્તે તેને સંસાર સંબંધી દુ:ખ થાય છે.
દ્રવ્યરૂપ પુદ્દગલનો વિભાવ છે, આ સંબંધી જીવને દુઃખ સુખ થતું નથી. તેથી ભાવ જ પ્રધાન છે. આવું ન હોય તો કેવળી ભગવાનને પણ સાંસારિક સુખદુઃખની પ્રાપ્તિ થાય પરંતુ આવું થતું નથી. આ રીતે જીવનો જ્ઞાન દર્શન તો સ્વભાવ છે અને રાગ-દ્વેષ-મોહ તે વિભાવ છે અને પુદ્દગલના સ્પર્શાદિક અને સ્કન્ધાદિક સ્વભાવ-વિભાવ છે. તેમાં જીવના હિત-અહિત ભાવ મુખ્ય છે, પુદ્દગલદ્રવ્ય સંબંધ મુખ્ય નથી. બાહ્ય દ્રવ્ય નિમિત્ત માત્ર છે, ઉપાદાન વિના નિમિત્ત કંઈ કરતું નથી. આ તો સામાન્યરૂપથી સ્વભાવનું સ્વરૂપ છે અને તેનું જ વિશેષ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તો જીવનો સ્વભાવ-ભાવ છે, તેમાં સમ્યગ્દર્શન ભાવ પ્રધાન છે. તેના વિના બધી બાહ્ય ક્રિયા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર છે, એ વિભાવ છે અને સંસારનું કારણ છે, આ પ્રકારે જાણવું જોઈએ. ૨
હવે કહે છે કે બાહ્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છે. ‘એનો અભાવ' જીવના ભાવની વિશુદ્ધતાનું નિમિત્ત જાણીને બાહ્ય દ્રવ્યનો ત્યાગ કરે છે:
૧ વિફળ
=
भावविसुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ। बाहिरचाओ विहलो अब्भंतरगंथजुत्तस्स ॥ ३ ॥
भावविशुद्धिनिमित्तं बाह्यग्रंथस्य क्रियते त्यागः । बाह्यत्याग: विफलः अभ्यन्तरग्रंथयुक्तस्थ ॥ ३ ॥
રે ! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે `વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩
અત્યંતર પરિગ્રહ.
નિષ્ફળ. ૨ આંતર-ગ્રંથ
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com