________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૩૩
ગણધરાદિકોમાં ઇન્દ્ર તીર્થંકર પરમદેવ છે. તે ગુણશ્રેણી નિર્જરા શુદ્ધ ભાવથી જ થાય છે. તે તીર્થકર ભાવના ફળને પ્રાપ્ત થયા, ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેમ જ સર્વ કર્મોનો નાશ કરી પરમ શદ્ધ ભાવને પ્રાપ્ત કરી સિદ્ધ થયા. આચાર્ય. ઉપાધ્યાય શદ્ધ ભાવના એક દેશને પ્રાપ્ત કરી પૂર્ણતાને સ્વયં સાધે છે તથા અન્યને શુદ્ધભાવની દીક્ષા-શિક્ષા આપે છે. આ જ પ્રકારે સાધુ છે તે પણ શુદ્ધભાવને સ્વયં સાધે છે અને શુદ્ધભાવની જ મહિમાથી ત્રણ લોકના પ્રાણીઓ દ્વારા પૂજવા યોગ્ય, વંદના યોગ્ય કહ્યા છે. આથી “ભાવપાહુડ” ની આદિમાં એમને નમસ્કાર યોગ્ય છે. મસ્તક દ્વારા નમસ્કાર કરવામાં બધાં અંગ આવી ગયાં. કેમકે મસ્તક સર્વ અંગોમાં ઉત્તમ છે. સ્વર્ય નમસ્કાર કર્યા ત્યારે પોતાના ભાવપૂર્વક જ થયા ત્યારે “મનવચન-કાય” ત્રણે આવી ગયા. આ રીતે જાણવું જોઈએ. ૧
હવે કહે છે કે લિંગ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં ભાવલિંગ પરમાર્થ
भावो हि पढमलिंग ण दव्वलिंगं च जाण परमत्थं। भावो कारण भूदो गुणदोसाणं जिणा 'बेन्ति।।२।।
भावः हि प्रथमलिंगं न द्रव्यलिंग च जानीहि परमार्थम्। भावो कारणभूत: गुणदोषाणां जिना 'ब्रुवन्ति।।२।।
છે ભાવ પરથમ લિંગ, દ્રવમય લિંગ નહિ પરમાર્થ છે; ગુણદોષનું કારણ કહ્યો છે ભાવને શ્રી જિનવરે. ૨
અર્થ:- ભાવ પ્રથમ લિંગ છે, આથી હે ભવ્ય! તું દ્રવ્ય લિંગ છે તેને પરમાર્થરૂપ ના જાણ, કેમકે ગુણ અને દોષોનાં કારણભૂત ભાવ જ છે, આ પ્રકારે જિન ભગવાન કહે છે.
ભાવાર્થ - ગુણ જે સ્વર્ગ અને મોક્ષનું હોવું અને દોષ અર્થાત્ નરકાદિક સંસારનું હોવું તેનું કારણ ભગવાને ભાવોને જ કહ્યા છે, કેમકે કારણ કાર્યની પહેલાં હોય છે. અહીં મુનિશ્રાવકના દ્રવ્યલિંગના પહેલાં ભાવલિંગ અર્થાત્ સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવ હોય તો સાચા મુનિ-શ્રાવક થાય છે. આથી ભાવલિંગ જ મુખ્ય છે. મુખ્ય છે તે જ પરમાર્થ છે. આથી દ્રવ્યલિંગને પરમાર્થ ન જાણવું, આ પ્રકારે ઉપદેશ ક્યું છે.
અહીં કોઈ પ્રશ્ન કરે :- ભાવનું સ્વરૂપ શું છે? એનું સમાધાન :- ભાવનું સ્વરૂપ તો આચાર્ય આગળ કહેશે તો પણ અહીં કંઈક કહીએ છીએ-આ લોકમાં છ દ્રવ્ય છે. એમાં જીવપુદ્ગલનું વર્તન પ્રગટ જોવામાં આવે છે. જીવ ચેતનાસ્વરૂપ છે અને પુદ્ગલ સ્પર્શ,
૧ પાઠાન્તર :- વિન્તિ. ૨ પાઠાન્તર :- વિદન્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com