________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૯
આરંભ પણ પદ અનુસાર ઘટાડશે. મુનિ થશે ત્યારે આરંભ શા માટે કરે? માટે ત્યારે તો સર્વથા આરંભ નહિ કરે તેથી મિથ્યાષ્ટિ કે જે બાહ્ય બુદ્ધિ છે તે બાહ્ય કાર્ય માત્રને જ-પુણ્ય-પાપને જ-મોક્ષમાર્ગ સમજે છે. તેમનો ઉપદેશ સાંભળીને પોતે અજ્ઞાની ન થવું જોઈએ. પૂણ્ય-પાપના બંધમાં શુભાશુભ ભાવ જ પ્રધાન છે. અને પુણ્ય-પાપ રહિત મોક્ષમાર્ગ છે. તેમાં સમ્યગ્દર્શનાદિકરૂપ આત્મ-પરિણામ પ્રધાન છે. (હેયબુદ્ધિ સહિત) ધર્માનુરાગ મોક્ષમાર્ગનું સહકારી છે અને (આંશિક વીતરાગ ભાવ સહિત) ધર્માનુરાગના તીવ્રમંદના ભેદ ઘણા છે, તેથી પોતાના ભાવોને યથાર્થ ઓળખીને પોતાની પદવી, સામર્થ્ય ઓળખી, –સમજીને શ્રદ્ધા-જ્ઞાન અને તેમાં પ્રવૃત્તિ કરવી પોતાનું ભલું-બૂરું પોતાના ભાવોને આધીન છે, બાહ્ય પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. ઉપાદાન કારણ હોય તો નિમિત્ત પણ સહકારી હોય છે અને ઉપાદાન ન હોય તો નિમિત્ત કંઈપણ કરતું નથી. આ પ્રકારે આ બોધપ્રાભૃતનો આશય જાણવો જોઈએ.
આને સારી રીતે સમજીને “આયતન” આદિક જેમ કહ્યા છે તેવા અને તેનો બાહ્ય વ્યવહાર પણ તેવો જ તથા ચૈત્યગૃહ, પ્રતિમા, જિનબિંબ, જિનમુદ્રા આદિ ધાતુપાષાણાદિકનો પણ વ્યવહાર તેવો જ જાણીને શ્રદ્ધા અને પ્રવૃત્તિ કરવી. અન્યમતી અનેક પ્રકારે સ્વરૂપ બગાડીને પ્રવૃત્તિ કરે છે. તેમની બુદ્ધિ કલ્પિત જાણીને ઉપાસના કરવી નહિ. આ દ્રવ્યવ્યવહારનું પ્રરૂપણ પ્રવ્રજ્યાના સ્થાનમાં શરૂથી બીજી ગાથામાં બિંબન, ચૈત્યાલયત્રિક અને જિનભવન એ પણ મુનિઓને ધ્યાન કરવાયોગ્ય છે-આ પ્રકારે કહ્યું છે. તો, ગૃહસ્થ જ્યારે તેની પ્રવૃત્તિ કરે છે ત્યારે તો મુનિઓને ધ્યાન કરવા યોગ્ય થાય છે. માટે જે જિનમંદિર, પ્રતિમા, પૂજા, પ્રતિષ્ઠા આદિનો સર્વથા નિષેધ કરવાવાળા છે તે સર્વથા એકાન્તીની જેવા મિથ્યાદષ્ટિ છે તેમની સંગતિ કરવી નહિ. (મૂલાચાર પૃ. ૪૯૨, અધ્યાય ૧૦ ગાથા ૯૬ માં કહ્યું છે કે ““શ્રદ્ધાભ્રષ્ટોના સંપર્ક કરતાં ગૃહમાં પ્રવેશ કરવો સારો છે. કેમકે વિવાહમાં મિથ્યાત્વ નહિ થાય. પરંતુ આવા ગણ તો સર્વ દોષોના સમુહ છે તેમાં મિથ્યાત્વાદિ દોષ ઉત્પન્ન થાય છે. માટે તેનાથી અલગ રહેવું જ સારું છે'' આવો ઉપદેશ છે.)
હવે આચાર્ય, આ બોધ પાહુડનું કથન પોતાની બુદ્ધિ કલ્પિત નથી, પરંતુ પૂર્વાચાર્યોના અનુસાર કહ્યું છે એમ કહે છે –
सद्दविचारो हूओ भासासुत्तेसु जं जिणे कहियं। सो तह कह्यिं णायं सीसेण य भद्दबाहुस्स।। ६१ ।।
शब्दविकारो भूतः भाषासूत्रेषु यज्जिनेन कथितम्। तत् तथा कथितं ज्ञातं शिष्येण च भद्रबाहोः।। ६१।।
૧ ગાથા રમાં બિંબની જગ્યાએ “વચ” એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com