________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
(અષ્ટપાહુડી
જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે. આ જ પ્રકારે સંક્ષેપથી કહી છે. કેવો છે જિનમાર્ગ? જેમાં વિશુદ્ધ સમ્યકત્વ છે, જેમાં અતિચાર રહિત સમ્યકત્વ જોવામાં આવે છે, અને નિગ્રંથ રૂપ છે અર્થાત્ જેમાં બાહ્ય-અંતરંગ પરિગ્રહ નથી.
ભાવાર્થ- આ પ્રમાણે પૂર્વોક્ત પ્રવ્રજ્યા નિર્મળ સમ્યકત્વ સહિત નિગ્રંથરૂપ જિનમાર્ગમાં કહી છે. અન્ય નૈયાયિક વૈશેષિક, સાંખ્ય, વેદાન્ત, મીમાંસક, પાતંજલિ અને બૌદ્ધ આદિક મતમાં નથી. કાળદોષથી જૈનમતથી ભ્રષ્ટ થઈ ગયા અને જૈન કહેવડાવે છે આ પ્રકારના શ્વેતામ્બર આદિકોમાં પણ નથી. ૫૯
-આ પ્રકારે પ્રવ્રજ્યાના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે બોધ પાહુડને સંકોચતા આચાર્ય કહે છે:
रुवत्थं सुद्धत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं। भव्वजणबोहणत्थं छक्काय हियंकरं उत्तं ।। ६०।। रूपस्थं शुद्धयर्थं जिनमार्गे जिनवरैः यथा भणितम्। भव्यजन बोधनार्थं षट्कायहितंकरं उक्तम्।।६०।। રૂપસ્થ સુવિશુદ્ધાર્થ વર્ણન જિનપથે જ્યમ જિન કર્યું, ત્યમ ભવ્યજનબોધન અરથ ષષ્ક્રયહિતકર અહીં કહ્યું. ૬૦
અર્થ:- જેમાં અંતરંગ ભાવરૂપ અર્થ શુદ્ધ છે અને એવું જ રૂપસ્થ અર્થાત્ બાહ્યસ્વરૂપ મોક્ષમાર્ગ જેવો જિનમાર્ગમાં જિનદેવે કહેલ છે તેવો છકાયના જીવોનું હિત કરવાવાળો માર્ગ ભવ્ય જીવોને સંબોધવા માટે કહ્યો છે. આ રીતે આચાર્ય પોતાનો અભિપ્રાય પ્રગટ ર્યો છે.
ભાવાર્થ:- આ બોધ પાહુડમાં “આયતન” આદિથી લઈને “પ્રવ્રજ્યા સુધીના અગિયાર સ્થાન કહ્યા છે. એમનું બાહ્ય અને અંતરંગ સ્વરૂપ જેવું જિનદેવે જિનમાર્ગમાં કહેલ છે તેવું જ કહ્યું છે. કેવું છેઆ સ્વરૂપ?-છ કાયના જીવોનું હિત કરવાવાળું છે. જેમાં એકેન્દ્રિય આદિ અસંજ્ઞી સુધીના જીવોની રક્ષાનો અધિકાર છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની રક્ષા પણ કરાવે છે અને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારનું દુ:ખ મટાડી મોક્ષને પ્રાપ્ત કરાવે છે. આ પ્રકારનો માર્ગ (-ઉપાય) ભવ્યજીવોને સંબોધવા માટે કહ્યો છે. જગતના જીવો અનાદિથી લઈને મિથ્યામાર્ગમાં પ્રવર્તન કરી સંસારમાં ભ્રમણ કરે છે. તેથી દુઃખ દૂર કરવા માટે “આયતન” આદિ ધર્મના સ્થાનરૂપ અગિયાર સ્થાનનો આશ્રય લે છે. અજ્ઞાની જીવ આ સ્થાનને અન્યથા સ્વરૂપે સ્થાપીને તેમાંથી સુખ મેળવવા ચાહે છે. પણ તે યથાર્થ (સ્વરૂપે સ્થાપ્યા) વિના
૧ સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું; તાત્ત્વિક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com