________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૫
હવે ફરી વિશેષ કહે છે :
तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य। सुद्धा गुणेहिं सुद्धा पव्वज्जा एरिसा भणिया।।५८ ।। तपोव्रतगुणैः शुद्धा संयमसम्यक्त्वगुणविशुद्धा च। शुद्धा गुणैः शुद्धा प्रव्रज्या ईदशी भणिताः।। ५८ ।। તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદંગગુણસુવિશુદ્ધ છે, છે ગુણવિશુદ્ધ, સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮
અર્થ - જિનદેવે પ્રવજ્યા આ પ્રકારે કહી છે કે તપ અર્થાત્ બાહ્ય-અભ્યતર બાર પ્રકારનાં તપ તથા વ્રત અર્થાત્ પાંચ મહાવ્રત અને ગુણ અર્થાત્ તેના ભેદરૂપ ઉત્તરગુણોથી શુદ્ધ છે. “સંયમ ” અર્થાત્ ઈન્દ્રિય મનનો નિરોધ, છકાયના જીવોની રક્ષા ને સમ્યકત્વ અર્થાત્ તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ નિશ્ચય-વ્યવહારરૂપ સમ્યગ્દર્શન, તથા તેના “ગુણ” અર્થાત્ મૂળગુણોથી શુદ્ધ અતિચાર રહિત નિર્મળ છે અને જે પ્રવ્રજ્યાના ગુણ કહ્યા તેનાથી શુદ્ધ છે, વેષ માત્ર જ નથી. આ પ્રકારે શુદ્ધ પ્રવ્રજ્યા કહેવાય છે. આ ગુણો વિના પ્રવ્રજ્યા શુદ્ધ છે નહીં.
ભાવાર્થ- તપ, વ્રત, સમ્યકત્વ આ બધા સહિત અને જેમાં તેનાં મૂળ ગુણ અને અતિચારોની શુદ્ધિ હોય છે આ પ્રકારે દીક્ષા શુદ્ધ છે. અન્યવાદી તથા શ્વેતામ્બરાદિ ચાહે ગમે તે કહેતા હોય પણ તે દીક્ષા શુદ્ધ નથી. ૫૮
હવે પ્રવજ્યાના કથનને સંકોચે છે -
एवं 'आयत्तणगुणपज्जंत्ता बहुविसुद्ध सम्मत्ते। णिग्गंथे जिणमग्गे संखेवेणं जहारवादं ।। ५९ ।। एवं आयतनगुणपर्याप्ता बहुविशुद्धसम्यक्त्वे। निपॅथे जिनमार्गे संक्षेपेण यथाख्यातम्।। ५९।। સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કહ્યા, જ્યમ શુદ્ધ સમ્યગ્દરશયુત નિગ્રંથ જનપથ વર્ણવ્યા. ૧૯
અર્થ:- આ પ્રકારે પહેલાં કહી ગયા તે પ્રકારથી આયતન અર્થાત દીક્ષાનું સ્થાન જે નિગ્રંથ મુનિ તેનાં જેટલાં ગુણો છે તેનાથી પજ્જતા અર્થાત્ પરિપૂર્ણ તથા અન્ય પણ જે ઘણાં ગુણો દીક્ષામાં હોવા જોઈએ તે બધા ગુણો જેમાં હોય એ પ્રકારની પ્રવ્રજ્યા
૧ પાઠાન્તર :- ગાયત્તળ ગુગપલ્વનંતા ૨ સંસ્કૃતસટીક પ્રતિમાં ‘નાયતન' એનું સંસ્કૃત ‘નાત્મત્વ' આ પ્રકારે છે. ૩ દીક્ષાંત = પ્રવજ્યા સુધીના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com