________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧૧૯
ભાવાર્થ- જૈન દીક્ષામાં રાગદ્વેષનો અભાવ છે, શત્રુ-મિત્ર, નિંદા-પ્રશંસા, લાભઅલાભ અને તૃણ-કંચનમાં સમભાવ છે. જૈન મુનિઓની દીક્ષા આ પ્રકારની જ હોય છે. ૪૭
હવે ફરી કહે છે:
उत्तममज्झिमगेहे दारिद्दे ईसरे णिरावेक्खा। सव्वत्थ गिहिदपिंडा पव्वज्जा एरिसा भणिया।। ४८।। उत्तममध्यमगेहे दरिद्रे ईश्वरे निरपेक्षा।
सर्वत्र गृहितपिंडा प्रव्रज्या ईदृशी भणिता।। ४८।। નિર્ધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે સર્વત્ર પિંડ ગ્રહાય છે, -દીક્ષા કહી આવી જિને. ૪૮
અર્થ:- ઉત્તમ ગેહુ અર્થાત્ શોભા સહિત રાજભવનાદિમાં અને મધ્યમ ગેહ અર્થાત્ જેમાં અપેક્ષા નથી-શોભા રહિત સામાન્ય લોકોના ઘર તેમાં તથા દરિદ્ર-ધનવાન તેમાં નિરપેક્ષ અર્થાત્ ઇચ્છા રહિત છે, બધીજ યોગ્ય જગ્યાએથી આહાર ગ્રહણ કરવામાં આવે છે-આ પ્રકારે પ્રવ્રજ્યા કહી છે.
ભાવાર્થ:- મુનિ દીક્ષા સહિત હોય છે અને આહાર લેવા જાય છે ત્યારે આ પ્રકારે વિચાર કરતા નથી કે મોટા ઘરે જવું અથવા નાના ઘરે અથવા દરિદ્રીને ઘરે કે ધનવાનને ઘરે જવું. આ પ્રકારે વાંછારહિત નિર્દોષ આહારની યોગ્યતા હોય ત્યાં સર્વ જગ્યાએથી યોગ્ય આહાર લઈ લે છે. આ પ્રકારે દીક્ષા છે. ૪૮
હવે ફરી કહે છે:
णिग्गंथा णिस्संगा णिम्माणासा अराय णिहोसा। णिम्मम णिरहंकारा पव्वज्जा एरिसा भणिया।। ४९ ।। निर्ग्रथा निःसंगा निर्मानाशा अरागा निद्वेषा। निर्ममा निरहंकारा प्रव्रज्या ईदृशी भणिता।। ४९ ।।
નિર્ચેથ ને નિઃસંગ, 'નિર્માનાશ, નિરહંકાર છે, નિર્મમ, અરાગ, અદ્વેષ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૯
અર્થ - પ્રવ્રજ્યા કેવી છે? નિગ્રંથસ્વરૂપ છે, પરિગ્રહથી રહિત છે, નિઃસંગ અર્થાત્ જેમાં સ્ત્રી આદિ પરદ્રવ્યનો સંગ-મિલાપ નથી, જેમાં નિર્માના અર્થાત્ માનકષાય પણ નથી, -
૧ સદન = ઘર. ૨ પિંડ = આહાર. ૩ નિર્માનાશ = માન અને આશારહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com