________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
(અષ્ટપાહુડી
મદ રહિત છે, જેમાં આશા નથી, –સંસાર ભોગની આશાથી રહિત છે, જેમાં અરાગ અર્થાત્ રાગનો અભાવ છે-સંસાર-દેહુ-ભોગોથી પ્રીતિ નથી, નિર્લેષા અર્થાત કોઈથી દ્વેષ નથી, નિર્મમાં અર્થાત્ કોઈથી મમત્વભાવ નથી, નિરહંકારા અર્થાત્ અહંકાર રહિત છે-જે કંઈ કર્મનો ઉદય હોય છે તે જ થાય છે આ પ્રકારે જાણવાથી પરદ્રવ્યમાં કર્તુત્વનો અહંકાર રહેતો નથી. અને પોતાના સ્વરૂપનું જ તેમાં સાધન છે-આ પ્રમાણે પ્રવજ્યા કહી છે.
ભાવાર્થ- અજમતી વેષ ધારણ કરીને તેને જ માત્ર દીક્ષા માને છે તે દીક્ષા નથી. જૈન દીક્ષા આ પ્રમાણે કહી છે. ૪૯
હવે ફરી કહે છે:
णिण्णेहा णिल्लोहा णिम्मोहा णिव्वियार णिक्कलुसा। णिब्भय णिरासभावा पव्वज्जा एरिसा भणिया।। ५०।।
निःस्नेहा निर्लोभा निर्मोहा निर्विकारा निःकलुषा। निर्भया निराशभावा प्रव्रज्या ईदृशी भणिता।। ५०।।
નિઃ સ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે, આશારહિત, નિર્લોભ છે, -દીક્ષા કહી આવી જિને. ૫૦
અર્થ - પ્રવજ્યા આવી કહી છે-નિઃસ્નેહા અર્થાત જેમાં કોઈ પ્રત્યે સ્નેહ નથી, જેમાં પદ્રવ્યથી રાગાદિરૂપ સચિણ ભાવ” નથી ? જેમાં નિર્લોભા અર્થાત્ કાંઈ પરદ્રવ્ય લેવાની વાંચ્છા નથી, જેમાં નિર્મોહા અર્થાત્ કોઈ પરદ્રવ્યથી મોહ નથી, –ભૂલથી પણ પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ થતી નથી. નિર્વિકારા અર્થાત્ બાહ્ય અભ્યતર વિકારથી રહિત છે-જેમાં બાહ્ય શરીરની ચેષ્ટા તથા વસ્ત્રાભૂષણાદિનો તથા અંગ-ઉપાંગનો વિકાર નથી, જેમાં અંતરંગ કામક્રોધાદિનો વિકાર નથી. નિઃકલુષા અર્થાત્ મલિનભાવ રહિત છે–આત્માને કષાય મલિન કરે છે, માટે કષાય જેમાં નથી. નિર્ભયા અર્થાત્ જેમાં કોઈ પ્રકારનો ભય નથી, –પોતાના સ્વરૂપને અવિનાશી જાણે તેને કોનો ભય હોય? જેમાં નિરાશાભાવ અર્થાત્ કોઈ પ્રકારની પરદ્રવ્યની આશાનો ભાવ નથી. આશા તો કોઈ વસ્તુની પ્રાપ્તિ ન હોય તેમાં લાગી રહે છે. પરંતુ જ્યાં પદ્રવ્યને પોતાનું જાણ્યું જ નથી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ન રહ્યું. પછી કોની આશા હોય ? પ્રવ્રજ્યા આ પ્રકારે કહી છે.
ભાવાર્થ- જૈન દીક્ષા આવી છે. અન્ય મતમાં સ્વ-પર દ્રવ્યનું ભેદજ્ઞાન નથી. તેમને આવી દીક્ષા ક્યાંથી હોય? ૫૦
૧ સચિણ = હાથ, ચમચો, કડછી આદિ દ્વારા ભોજન સામગ્રી આપવી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com