________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૧૭
જે મુનિવૃષભ અર્થાત્ મુનિઓમાં પ્રધાન છે તેમણે કહેલા શૂન્ય ગૃહાદિક તથા તીર્થ, નામમંત્ર, સ્થાપનરૂપ મૂર્તિ અને તેમનું આલય-મંદિર, પુસ્તક, અને અકૃત્રિમ જિનમંદિર તેમને mછંતિ' અર્થાત નિશ્ચયથી ઈષ્ટ કરે છે. સનાં ઘર આદિમાં રહે છે અને તીર્થ આદિનું ધ્યાન-ચિંતન કરે છે, તથા બીજાઓને ત્યાં દીક્ષા આપે છે. અહીં ‘ણિઇચ્છતિ” નું પાઠાન્તર ણઇચ્છતિ” આ પ્રકારે પણ છે. તેનો કાકોકિતદ્વારા તો આ પ્રકારે અર્થ થાય છે કે “જે શું ઇષ્ટ નથી કરતા? અર્થાત્ કરે જ છે.” એક ટિપ્પણીમાં એવો અર્થ ર્યો છે કે આવા શૂન્ય ગૃહાદિક તથા તીર્થાદિકને સ્વવશ આસક્ત અર્થાત્ સ્વેચ્છાચારી-ભ્રષ્ટાચારીઓ દ્વારા આસક્ત હોય (યુક્ત હોય) તો તે મુનિપ્રધાન ઈષ્ટ ન કરે, ત્યાં ન રહે. કેવા છે એ મુનિપ્રધાન? પાંચ મહાવ્રત સંયુક્ત છે, પાંચ ઇન્દ્રિયોને સારી રીતે જીતવાવાળા છે, નિરપેક્ષ છે-કોઈ પ્રકારની વાંચ્છાથી મુનિ નથી થયા, સ્વાધ્યાય અને ધ્યાનયુક્ત છે-કોઈ તો શાસ્ત્ર ભણે છે અને ભણાવે છે, કોઈ ધર્મશુકલધ્યાન કરે છે.
ભાવાર્થ- અહીં દીક્ષાયોગ્ય સ્થાન તથા દીક્ષા સહિત દીક્ષા આપવાવાળા મુનિનું તથા તેમના ચિંતન યોગ્ય વ્યવહારનું સ્વરૂપ કહ્યું છે. ૪૨-૪૩-૪૪
હવે “પ્રવ્રજ્યા” નું સ્વરૂપ કહે છે:
गिहगंथमोहमुक्का बावीसपरीसहा जियकषाया। पावारंभविमुक्का पव्वज्जा एरिसा भणिया।। ४५ ।।
गहग्रंथमोहमक्ता द्वविंशतिपरीषहा जितकषाया। पापारंभविमुक्ता प्रव्रज्या ईदृशी भणिता।। ४५।।
ગુહુ-ગ્રંથ-મોહવિમુક્ત છે, પરિષહજયી, અકષાય છે, છે મુક્ત પાપારંભથી, -દીક્ષા કહી આવી જિને. ૪૫
અર્થ:- ગૃહ (ઘર) અને ગ્રંથ (પરિગ્રહ)-આ બન્નેથી મુનિ તો મોહ, મમત્વ, ઇષ્ટઅનિષ્ટ બુદ્ધિથી રહિત જ છે. જેમાં બાવીશ પરીષહોને સહન કરવા પડે છે, કષાયોને જીતે છે અને પાપરૂપ આરંભથી રહિત છે-આ પ્રકારની પ્રવ્રજ્યા જિનેશ્વરદેવે કહી છે.
ભાવાર્થ:- જૈન દીક્ષામાં કંઈ પણ પરિગ્રહ નથી, સર્વ સંસારનો મોહ નથી, (પણ ) જેમાં બાવીશ પરીષહોનું સહેવું અને કષાયોને જીતવું હોય છે અને પાપના આરંભનો અભાવ હોય છે–આ પ્રકારની દીક્ષા અન્ય મતમાં નથી. ૪૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com