________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
(અષ્ટપાહુડ
पंचमहव्वयजुत्ता पंचिंदियसंजया णिरावेक्खा। सज्झायझाणजुत्ता मुणिवरवसहा णिइच्छन्ति।। ४४।।
शून्यगृहे तरुमूले उद्याने तथा श्मसानवासे वा। गिरिगुहायां गिरिशिखरे वा, भीमवने अथवा वसतौ वा।। ४२।।
स्ववशासक्तं तीर्थं वचश्चैत्यालयत्रिकं च उक्तैः। जिनभवनं अथ वेध्यं जिनमार्गे जिनवरा विदन्ति।। ४३।।
पंचमहाव्रतयुक्ताः पंचेन्द्रियसंयताः निरपेक्षाः। स्वाध्यायध्यानयुक्ताः मुनिवरवृषभाः नीच्छन्ति।। ४४।।
મુનિ શૂન્યગૃહ, તરૂતલ વસે, ઉધાન વા સમશાનમાં, ‘ગિરિકંદરે, ગિરિશિખર પર, વિકરાળ વન વા વસતિમાં. ૪૨
નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્ત્ર ચૈત્યાલય અને જિનભવન મુનિનાં લક્ષ્ય છે-જિનવર કહે જિનશાસને. ૪૩
પંચેન્દ્રિયસંયમવંત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને સ્વાધ્યાય-ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને ૪૪
અર્થ:- સૂનું ઘર, વૃક્ષનું મૂળ, બખોલ, ઉઘાનવન સ્મશાનભૂમિ, પર્વતની ગુફા, પર્વતનું શિખર, ભયાનક વન અને ધર્મસ્થાન-તેમાં દીક્ષા સહિત મુનિ રહે છે. આ (મુનિને રહેવા માટે ) દીક્ષાયોગ્ય સ્થાન છે.
સ્વવશ આસક્ત અર્થાત પોતાને વશ મુનિઓથી આસક્ત જે ક્ષેત્ર તેમાં મુનિ રહે. જ્યાંથી (મુનિ) મોક્ષ પધાર્યા હોય તેવું તો તીર્થસ્થાન છે. અને વચ, ચૈત્ય, આલય-આ પ્રકારે ત્રણ પહેલાં કહેવામાં આવ્યા છે. અર્થાત્ આયતન આદિક પરમાર્થરૂપ સંયમી મુનિ, અરિહંત, સિદ્ધ સ્વરૂપ તેમના નામનો અક્ષરરૂપ મંત્ર તથા તેમની આજ્ઞારૂપ વાણીને “વચ કહે છે તથા તેમના આકારરૂપ ધાતુ-પાષાણની પ્રતિમાના સ્થાપનને “ચૈત્ય કહે છે અને તે પ્રતિમા તથા અક્ષર મંત્ર વાણી જેમાં સ્થાપિત કરવામાં આવે છે તેને આલય-મંદિર કહે છે યંત્ર યા પુસ્તકરૂપ એવાં વચન, ચૈત્ય તથા આલય-એ ત્રણ છે. અથવા જિનભવન અર્થાત્ અકૃત્રિમ ચૈત્યાલયમંદિર. આ પ્રકારે આયતનાદિક તેમની સમાન જ એમનો વ્યવહાર તેને જિનમાર્ગમાં જિનવરદેવ વેધ્ય” અર્થાત દીક્ષા સહિત મુનિઓને ધ્યાન કરવા યોગ્ય, ચિંતન કરવા યોગ્ય કહે છે.
૧ ઉધાન = બગીચો. ૨ ગિરિકંદર = પર્વતની ગુફા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com