________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ )
૧૧૩
મદરાગદ્વેષવિહીન, ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે, મનપરિણમનપરિમુક્ત, કેવળભાવસ્થિત અહંત છે. ૪૦
અર્થ - કેવળજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાનરૂપ જ એક ભાવ થતાં અરિહંત હોય છે એમ જાણવું. મદ અર્થાત્ માનકષાયથી થતો ગર્વ અને રાગ, દ્વેષ અર્થાત્ કષાયોના તીવ્ર ઉદયથી થવાવાળા પ્રીતિ અને અપ્રીતિરૂપ પરિણામ-તેનાથી રહિત છે. પચ્ચીસ કપાયરૂપ મળનું દ્રવ્યકર્મ તથા તેના ઉદયથી થતા ભાવમળ-તેનાથી રહિત છે. માટે અત્યંત વિશુદ્ધ છે-નિર્મળ છે. ચિત્તપરિણામ અર્થાત્ મનના પરિણમનરૂપ વિકલ્પથી રહિત છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમરૂપ મનનો વિકલ્પ નથી. -આ રીતે કેવળ એક જ્ઞાનરૂપ વીતરાગસ્વરૂપ “ભાવઅરિહંત' જાણવા. ૪૦
હવે ભાવનું જ વિશેષ કહે છે:
सम्मइंसणि पस्सदि जाणदि णाणेण दव्वपज्जाया। सम्मत्तगुणविसुद्धो भावो अरहस्स णायव्वो।। ४१ ।।
सम्यग्दर्शनेन पश्यति जानाति ज्ञानेन द्रव्यपर्यायान्। सम्यक्त्वगुणविशुद्ध: भावः अर्हतः ज्ञातव्यः।। ४१।।
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સમ્યકત્વગુણસુવિશુદ્ધ છે, અહંતનો આ ભાવ છે. ૪૧
અર્થ:- “ભાવ અરિહંત” સમ્યગ્દર્શનથી તો પોતાને તથા સર્વને સત્તામાત્ર દેખે છે- આ પ્રમાણે જેને કેવળદર્શન છે; જ્ઞાનથી સર્વ દ્રવ્ય પર્યાયોને જાણે છે-આ પ્રમાણે જેને કેવળજ્ઞાન છે; તથા જેનામાં સમ્યકત્વગુણથી વિશુદ્ધ ક્ષાયિક સમ્યકત્વ જોવામાં આવે છે. આ રીતે અરિહંતનો ભાવ જાણવો.
ભાવાર્થ- અરિહંતપણું ઘાતિયાકર્મના નાશથી હોય છે. મોહકર્મના નાશથી સમ્યકત્વ અને કષાયના અભાવથી પરમ વીતરાગતા-સર્વપ્રકારે નિર્મળતા થાય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મના નાશથી અનંતદર્શન-અનંતજ્ઞાન પ્રગટ થાય છે. તેનાથી સર્વ દ્રવ્ય-પર્યાયોને એક સમયમાં પ્રત્યક્ષ દેખે છે, અને જાણે છે. દ્રવ્ય છ છે. તેમાં જીવદ્રવ્યની સંખ્યા અનંતાનંત છે, પુદ્ગલ દ્રવ્ય તેનાથી અનંતાનંતગણા છે, આકાશદ્રવ્ય એક છે-તે અનંતાનંત પ્રદેશ છે. તેની વચ્ચે (અસંખ્યાત પ્રદેશોમાં) સર્વ જીવ-પુદ્ગલ સ્થિત છે. એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય
૧ વ્યક્તકષાયમળ = કષાયમળતરહિત ૨ કેવળ = એકલો; નિર્ભેળ; શુદ્ધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com