________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
(અષ્ટપાહુડ
એ બન્ને અસંખ્યાતપ્રદેશી છે. તેનાથી આકાશના લોક અને અલોક એવા વિભાગ છે. આ લોકમાં જ કાળદ્રવ્યના અસંખ્યાત કાળાણુ સ્થિત છે. આ સર્વ દ્રવ્યોને પરિણામરૂપ પર્યાય છે. તે (પર્યાય) એક-એક દ્રવ્યની અનંતાનંત છે. તેમને કાળદ્રવ્યનાં પરિણામ નિમિત્ત છે. તેના નિમિત્તથી ક્રમરૂપ થતાં સમયાદિક વ્યવહારકાળ કહેવાય છે. તેની ગણનાથી અતીત, અનાગત, વર્તમાન દ્રવ્યોની પર્યાયો અનંતાનંત છે. આ સર્વ દ્રવ્યપર્યાયોને અરિહંતનું દર્શન-જ્ઞાન એક સમયમાં દેખે અને જાણે છે. માટે અરિહંતને સર્વદર્શી-સર્વજ્ઞ કહે છે.
ભાવાર્થ- આ પ્રકારે અરિહંતનું નિરૂપણ ચૌદ ગાથાઓમાં કર્યું. પ્રથમ ગાથામાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, ગુણ, પર્યાય સહિત ચ્યવન, આગતિ, સંપત્તિ એ ભાવો અરિહંતને બતાવે છે. તે બધુંજ વ્યાખ્યાન નામાદિ કથનમાં આવી ગયું. તેનો સંક્ષેપમાં ભાવાર્થ લખીએ છીએ.
ગર્ભકલ્યાણક - પ્રથમ ગર્ભ કલ્યાણક હોય છે. ગર્ભમાં આવવાને છ મહિના પહેલાં ઇન્દ્રનો મોકલેલ કુબેર જે રાજાની રાણીના ગર્ભમાં તીર્થકર આવવાના હોય તેના નગરની શોભા કરે છે. રત્નમયી સુવર્ણમયી મંદિર રચે છે. નગરને કોટ, ખાઈ, દરવાજા, સુંદર વન, ઉપવનની રચના કરે છે. સુંદર પોષાકવાળા નરનારી નગરમાં વસાવે છે. નિત્ય રાજમંદિર પર રત્નોની વર્ષા થતી રહે છે. તીર્થકરનો જીવ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતાને સોળ સ્વપ્ના આવે છે. રૂચકવરદ્વીપમાં રહેવાવાળી દેવાંગનાઓ માતાની નિત્ય સેવા કરે છે. જન્મકલ્યાણક:આ પ્રમાણે નવ મહિના પૂરા થતાં પ્રભુનો ત્રણ જ્ઞાન અને દસ અતિશયસહિત જન્મ થાય છે. ત્યારે ત્રણે લોકમાં આનંદમય ક્ષોભ થાય છે, દેવોના વગર વગાડ્ય વાજાં વાગે છે, ઇન્દ્રનું આસન કંપવા લાગે છે અને ત્યારે ઇન્દ્ર પ્રભુનો જન્મ થયો છે એમ જાણીને સ્વર્ગથી ઐરાવત હાથી ઉપર બેસીને આવે છે. બધા ચાર પ્રકારના દેવ-દેવીઓ એકઠાં મળીને આવે છે. શચી (ઇન્દ્રાણી) માતા પાસે જઈને ગુપ્તરૂપથી પ્રભુને લઈ આવે છે. ઇન્દ્ર હર્ષ પામીને હજાર નેત્રોથી પ્રભુને દેખે છે.
પછી સોધર્મ ઇન્દ્ર બાળક શરીરી ભગવાનને પોતાના ખોળામાં લઈને ઐરાવત હાથી પર ચઢીને મેરૂ પર્વત ઉપર જાય છે. ઈશાન ઇન્દ્ર છત્ર ધારણ કરે છે, સનકુમાર, ને મહેન્દ્ર ઇન્દ્ર ચામર ઢોળે છે મેરૂનાં પાંડકવનની પાંડકશિલા પર સિંહાસન ઉપર પ્રભુને વિરાજમાન કરે છે. સર્વ દેવો ક્ષીરસમુદ્રથી એક હજાર આઠ કળશોમાં જળ લાવીને, દેવ-દેવાંગના ગીત-નૃત્યવાજિંત્ર વગાડી, અત્યંત ઉત્સાહુ સહિત પ્રભુના મસ્તક પર કળશ ઢોળીને જન્મકલ્યાણકનો અભિષેક કરે છે. ત્યારબાદ શ્રૃંગાર, વસ્ત્ર, આભૂષણ પહેરાવીને માતાના મહેલમાં લાવીને માતાને સોંપે છે ને ઇન્દ્રાદિક દેવ પોતપોતાના સ્થાન પર ચાલ્યા જાય છે. કુબરે સેવા માટે રહે
ત્યાર પછી કુમાર-અવસ્થા તથા રાજ્ય-અવસ્થા ભોગવે છે. તેમાં મનોવાંછિત ભોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com