________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ર.
(અષ્ટપાહુડી
ईदृशगुणैः सर्वः अतिशयवान सुपरिमलामोदः।
औदारिकश्च कायः अर्हत्पुरुषस्य ज्ञातव्यः।। ३९ ।। વણવ્યાધિ-દુઃખ-જરા, આહાર-નિહાર વર્જિત, વિમળ છે,
અજુગુપ્સિતા, વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે. ૩૭ દસ પ્રાણ, ષટ્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ર લક્ષણ યુક્ત છે, સર્વાગ ગોક્ષીર-શંખતુલ્ય સુધવલ માંસ રૂધિર છે; ૩૮ -આવા ગુણે સર્વાગ અતિશયવંત, પરિમલ વ્હેકતી, ઔદારિકી કાયા અહો! અહંન્દુરુષની જાણવી. ૩૯
અર્થ:- અરિહંત પુરુષની ઔદારિક કાયા આ પ્રમાણે જાણવી : જરા, વ્યાધિ અને રોગ એ સંબંધી દુ:ખ તેમાં હોતું નથી; આહાર-નિહારથી રહિત હોય છે; વિમળ અર્થાત્ મળમૂત્ર રહિત હોય છે; સિંહાણ અર્થાત્ શ્લેષ્મ (કફ ), ખેલ અર્થાત્ ઘૂંક, પરસેવો અને દુર્ગધ કહેતાં જુગુપ્સા, ગ્લાનિ કે દુર્ગધાદિ દોષ તેમાં હોતાં નથી. ૩૭
તેમાં દસ પ્રાણ છે. તે દ્રવ્યપ્રાણ છે, પૂર્ણ પર્યાપ્તિ છે, એક હજાર આઠ લક્ષણ છે અને ગોક્ષીર અર્થાત્ કપૂર અથવા ચંદન તથા શંખ જેવું તેમાં સર્વાગ સફેદ રૂધિર અને માંસ હોય છે.
૩૮
આ પ્રમાણેના ગુણોવાળો સંપૂર્ણ દેહુ અતિશય સહિત નિર્મળ છે. તથા આમોદ અર્થાત્ જે સુગંધવાળો છે. –આવો ઔદારિક દેહુ અરિહંત પુરુષને હોય છે. ૩૯
ભાવાર્થ- અહીં દ્રવ્યનિક્ષેપ ન સમજવું. આત્માથી જુદા જ દેહની મુખ્યતાથી ‘દ્રવ્ય અરહંત' નું વર્ણન છે. ૩૭-૩૮-૩૯.
આ રીતે “દ્રવ્ય અરહંત' નું વર્ણન કર્યું. હવે ભાવની પ્રધાનતાથી (અરિહંતનું) વર્ણન કરે છે –
मयरायदोसरहिओ कसायमलवज्जिओ व सुविसुद्धो। चित्तपरिणामरहिदो केवलभावे मुणेयव्वो।। ४०।। मदरागदोषरहितः कषायमलवर्जितः च सुविशुद्धः। चित्तपरिणामरहितः केवलभावे ज्ञातव्याः।। ४०।।
૧ અજુગુપ્તિતા =જેના પ્રત્યે જુગુપ્સા ન થાય એવી. ૨ વણનાસિકામળ-શ્લેખ-સ્વેદ = નાકના મેલથી, કફથી ને પરસેવાથી રહિત. ૩ સુધવલ = ઘોળું. ૪ પરિમલ = સુગંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com