________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧/૯
હવે “માર્ગણા” દ્વારા (અરિહંતની સ્થાપના) કહે છે:
गइ इंदियं च काए जोए वेए कसाय णाणे य। संजम दंसण लेसा भविया सम्मत्त सण्णि आहारे।। ३३ ।।
गतौ इन्द्रिये च काये योगे वेदे कषाये ज्ञाने च। सयम दर्शने लेश्यायां भव्यत्वे सम्यक्त्वे संज्ञिनि आहारे।।३३।।
ગતિ-ઇન્દ્રિ-કાયે, યોગ-વેદ-કષાય-સંયમ-જ્ઞાનમાં, દગ-ભવ્ય-લેશ્યા-સંજ્ઞી-સમકિત-આ’ રમાં એ સ્થાપવા. ૩૩
અર્થ - (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાય, (૪) યોગ, (૫) વેદ, (૬) કપાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) વેશ્યા, (૧૧) ભવ્યત્વ, (૧૨) સમ્યકત્વ, (૧૩) સંજ્ઞી અને (૧૪) આહાર-આ પ્રકારે ચૌદ માર્ગણા હોય છે. અરિહંત સયોગ કેવળીને તેરમું ગુણસ્થાન છે. તેમાં માર્ગણા લગાવે છે. “ગતિ” –ચાર ગતિમાં મનુષ્યગતિ છે, “ઇન્દ્રિય ” જાતિ પાંચમાં પંચેન્દ્રિય જાતિ છે, “કાય’–છ કાયમાં ત્રસકાય છે, “યોગ’–પંદર યોગમાં મનોયોગ તો સત્ય અને અનુભય એ પ્રકારે છે અને એ જ પ્રકારના વચનયોગ બ તથા કાયયોગ ઔદારિક એ પ્રકારે પાંચ યોગ છે. જ્યારે સમુદ્રઘાત કરે. ત્યારે ઔદારિક મિશ્ર અને કાર્માણ એ બે મળીને સાત યોગ હોય છે. વેદ'-ત્રણ વેદમાં ત્રણેનો અભાવ છે; “કષાય'-પચીસ કષાયમાં બધાનો જ અભાવ છે: “જ્ઞાન”—આઠ જ્ઞાનમાં એક કેવળજ્ઞાન છે; “સંયમ’–સાત સંયમમાં એક યથાખ્યાત છે; “દર્શન'–ચાર દર્શનમાં એક કેવળદર્શન છે; “લેશ્યા’–છ લશ્યામાં એક શુકલ લેશ્યા છે જે યોગનિમિત્ત છે; “ભવ્ય” બે ભેદમાં એક ભવ્ય છે : “સમ્યકત્વ ’–છ સમ્યકત્વમાં ક્ષાયિક સમ્યકત્વ છે; “સંગી” બે ભેદમાં એક સંશી છે-તે દ્રવ્યથી છે, ભાવથી ક્ષયોપશમરૂપ ભાવ મનનો અભાવ છે; “આહારક આહારક-અનાહારક એ બેમાં આહારક છે-તે પણ નોકર્મવર્ગણાની અપેક્ષાએ છે, કિન્તુ કવળાહાર નથી. અને સમુદ્દાત કરે તો અનાહારક પણ છે. આ પ્રકારે બન્ને છે. આ પ્રમાણે માર્ગણા અપેક્ષા એ “અરિહંત' નું સ્થાપન જાણવું. ૩૩
હવે “પર્યાપ્તિ' દ્વારા (અરિહંતની સ્થાપના) કહે છે:
आहारो य सरीरो इंदियमण आणपाणभासा य। पज्जत्तिगुणसमिद्धो उत्तमदेवो हवइ अरहो।। ३४।।
आहार: च शरीरं इन्द्रियमनआनप्राणभाषाः च। पर्याप्ति गुणसमृद्धः उत्तमदेवः भवति अर्हन्।।३४ ।।
આહાર, કાયા, ઇન્દ્રિ, શ્વાસોચ્છવાસ, ભાષા, મન તણી, અહંત ઉત્તમ દેવ છે સમૃદ્ધ ષટ્ પર્યાપ્તિથી. ૩૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com