________________
બોધપાહુડ )
પાપપ્રકૃતિને સાપેક્ષ કરે એ પ્રકારે પુણ્યના ઉદયનો અભાવ જાણવો અથવા બંધ અપેક્ષાએ પુણ્યનો પણ બંધ નથી. સાતાવેદનીય બંધાય તે સ્થિતિ-અનુભાગ વિના અબંધતુલ્ય જ છે.
પ્રશ્ન:- કેવળીને અશાતાવેદનીયનો ઉદય પણ સિદ્ધાંતમાં કહ્યો છે, તેની પ્રવૃતિ કેવી રીતે
છે?
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ઉત્ત૨:- તેમને અશાતાનો અત્યંત મંદ-બિલકુલ મંદ-અનુભાગ ઉદય છે અને શાતાનો અતિ તીવ્ર અનુભાગ ઉદય છે. તેને લીધે અશાતા કંઈપણ બાહ્ય કાર્ય કરવામાં સમર્થ નથી. સૂક્ષ્મ ઉદય દઈને ખરી જાય છે તથા સંક્રમણરૂપ થઈને શાતારૂપ થઈ જાય છે. આ પ્રકારે જાણવું.
આ પ્રમાણે અનંત ચતુષ્ટ્ય સહિત સર્વદોષ રહિત સર્વજ્ઞ વીતરાગ હોય તેમને નામથી ‘ અરિહંત ’ કહે છે. ૩૦
હવે સ્થાપના દ્વારા ‘અરિહંત ’નું વર્ણન કરે છેઃ
k
गुणठाणमग्गणेहिं य पज्जत्तीपाणजीवठाणेहिं । ठावण पंचविहेहिं पणयव्वा अरहपुरिसस्स ।। ३१ ।। गुणस्थानमार्गणाभिः च पर्याप्तिप्राणजीवस्थानैः। स्थापना पंचविधैः प्रणेतव्या अर्हत्पुरुषस्य ।। ३१ ।।
છે સ્થાપના અદ્વૈતની કર્તવ્ય પાંચ પ્રકારથી, -‘ગુણ, માર્ગણા, પર્યાપ્તિ તેમ જ પ્રાણને જીવસ્થાનથી. ૩૧
અર્થ:- ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યાપ્તિ, પ્રાણ અને જીવસ્થાન આ પાંચ પ્રકારથી ‘અરિહંત ’ પુરુષની સ્થાપના પ્રાપ્ત કરવી અથવા તેમને પ્રણામ કરવા જોઈએ.
૧ ‘ ગુણ
૧૦૭
ભાવાર્થ:- સ્થાપના નિક્ષેપમાં કાષ્ઠ-પાષાણાદિકમાં સંકલ્પ કરવાનું કહ્યું છે, તે અહીં મુખ્ય નથી. અહીં નિશ્ચયની પ્રધાનતાથી કથન છે. અહીં ગુણસ્થાનાદિકથી ‘ અરિહંત ’નું સ્થાપન કહેલું છે. ૩૧
હવે વિશેષ કહે છે:
तेरह
गुणठाणे सजोइकेवलिय होइ अरहंतो ।
चउतीस अइसयगुणा होंति हु तस्सट्ठ पडिहारा ।। ३२ ।।
त्रयोदशे गुणस्थाने सयोगकेवलिकः भवति अर्हन् । चतुस्त्रिंशत् अतिशयगुणा भवंति स्फुटं तस्याष्टप्रातिहार्या ।। ३२ ।।
ગુણસ્થાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com