________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૪
(અષ્ટપાહુડ
હવે ફરી કહે છે -
जं णिम्मलं सुधम्म सम्मत्तं संजमं तवं णाणं। तं तित्थं जिणमग्गे हवेइ जदि संतिभावेण।। २७।। यत् निर्मलं सुधर्मं , सम्यक्त्वं संयमं तपः ज्ञानम्। तत् तीर्थं जिनमार्गे भवति यदि शान्तभावेन।। २७।। નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને,
જો શાન્તભાવે યુક્ત તો, તીરથ કહ્યું જિનશાસને. ૨૭ અર્થ - જિનમાર્ગમાં તે “તીર્થ છે જે નિર્મળ ઉત્તમ ક્ષમાદિક ધર્મ તથા તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ શંકાદિ મળરહિત નિર્મળ સમ્યકત્વ તથા ઇન્દ્રિય-મનને વશમાં કરવા, પકાયના જીવોની રક્ષા કરવી-આ પ્રકારે જે નિર્મળ સંયમ તથા અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન, કાયકલેશ-એવા બાહ્ય છ પ્રકારના તપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, ધ્યાન-આવા જ પ્રકારના અંતરંગ તપ-આ પ્રમાણે બાર પ્રકારના નિર્મળ તપ અને જીવ-અજીવ આદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન એ “તીર્થ” છે. તે પણ જો શાંતભાવ સહિત હોય, કષાયભાવ ન હોય તો નિર્મળ “તીર્થ” છે. કેમકે જો તે ક્રોધાદિભાવ સહિત હોય તો મલિનતા હોય, નિર્મળતા ન રહે.
ભાવાર્થ - જિનમાર્ગમાં તો આ પ્રકારે “તીર્થ' કહ્યું છે. લોકો સાગર, નદીઓને તીર્થ માનીને તેમાં સ્નાન કરીને પવિત્ર થવા ઇચ્છે છે. તેનાથી શરીરનો બાહ્ય મળ થોડો ઊતરે છે પરંતુ શરીરની અંદરનો ધાતુ-ઉપધાતુરૂપ અન્તર્મળ તેનાથી ઊતરતો નથી. તથા જ્ઞાનાવરણ આદિ કર્મરૂપ મળ અને અજ્ઞાન-રાગ-દ્વેષ-મોટુ આદિ ભાવકર્મરૂપ મળ કે જે આત્માનો અંતર્મળ છે તે-તો તેનાથી જરા પણ ઊતરતો નથી. ઉલટું હિંસાદિકથી પાપ કર્મરૂપ મળ લાગે છે. તેથી સાગર-નદી આદિને તીર્થ માનવા એ ભ્રમ છે. જેનાથી તરાય તે “તીર્થ” છે-આ પ્રકારે જિનમાર્ગમાં કહ્યું છે. તેને જ સંસાર સમુદ્રથી તારવાવાળું જાણવું. ૨૭
આ પ્રકારે “તીર્થ નું સ્વરૂપ કહ્યું. (૧૦) હવે “અરિહંત' નું સ્વરૂપ કહે છે:
णामे ठवणे हि य संदव्वे भावे हि सगुणपज्जाया। चउणागदि संपदिमें भावा भावंति अरहंतं ।। २८ ।। नाम्नि संस्थापनायां हि च संद्रव्ये भावे च सगुणपर्यायाः । च्यवनमागतिः संपत् इमे भावा भावयंति अर्हन्तम्।। २८ ।। “અભિધાન-સ્થાપન-દ્રવ્ય ભાવે, સ્વીય ગુણપર્યાયથી, અહંત જાણી શકાય છે આગતિ-ચ્યવન-સંપત્તિથી. ૨૮
૧ સંસ્કૃત પ્રતિમાં ‘સંપવિમ' પાઠ છે. ૨ ‘સમુળગુનીયા' આ પદને છાયામાં ‘સ્વાપર્યાયા: સંસ્કૃત પ્રતિમાં છે. ૩ અભિધાન = નામ. ૪ સ્વીય = પોતાના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com