________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૨
(અષ્ટપાહુડ
જે મુનિને મતિજ્ઞાનરૂપ ધનુષ સ્થિર હોય, શ્રુતજ્ઞાનરૂપ ગુણ અર્થાત્ પ્રત્યંચા (દોરી) હોય, રત્નત્રયરૂપ ઉત્તમ બાણ હોય અને પરમાર્થસ્વરૂપ નિજ શુદ્ધાત્મસ્વરૂપના સંબંધરૂપ લક્ષ્ય હોય તે મુનિ મોક્ષમાર્ગને ચૂકતા નથી.
ભાવાર્થ- ધનુષની બધી સામગ્રી યથાવત્ મળે ત્યારે નિશાન (લક્ષ્ય) ચૂકાતું નથી. તેવી જ રીતે મુનિને મોક્ષમાર્ગની યથાવત સામગ્રી મળે ત્યારે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થતા નથી. તેના સાધનથી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ “જ્ઞાન” નું માહામ્ય છે. માટે જિનાગમ અનુસાર સત્યાર્થ જ્ઞાનીઓનો વિનય કરી “જ્ઞાન” નું સાધન કરવું. ૨૩
આ પ્રમાણે “જ્ઞાન” નું નિરૂપણ કર્યું. (૮) હવે “દેવ'નું સ્વરૂપ કહે છે:
सो देवो जो अत्थं धम्म कामं सुदेइ णाणं च। सो देइ जस्स अत्थि हु अत्थो धम्मो य पव्वमज्जा।। २४ ।।
સ: તેવ: : અર્થ ઘર્મ વામં સુવાતિ જ્ઞાનું વા સ: હેવાતિ યસ્ય સ્તિ તુ કર્થ: ઘર્મ: ૨ પ્રવ્રખ્યા ૨૪
તે દેવ, જે સુરીતે ધરમ ને અર્થ, કામ, સુજ્ઞાન દે; તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪
અર્થ:- “દેવ” તેમને કહે છે જે અર્થ અર્થાત્ ધન, ધર્મ, કામ અર્થાત્ ઇચ્છાનો વિષય એવો ભોગ અને મોક્ષનું કારણ એવું જ્ઞાન-આ ચારેને આપે. અહીં ન્યાય એવો છે કે જે વસ્તુ જેની પાસે હોય તે આપે અને જેની પાસે જે વસ્તુ ન હોય તે કેવી રીતે આપે? આ ન્યાયથી અર્થ, ધર્મ, સ્વર્ગાદિના ભોગ અને મોક્ષસુખનું કારણ પ્રવ્રજ્યા અર્થાત્ દીક્ષા જેમને છે તેમને દેવ” જાણવા. ૨૪
હવે ધર્માદિનું સ્વરૂપ કહે છે કે જેને જાણવાથી દેવાદિનું સ્વરૂપ જાણવામાં આવે છે:
धम्मो दयाविसुद्धो पव्वज्जा सव्वसंगपरिचत्ता। देवो ववगयमोहो उदयकरो भव्वजीवाणं ।। २५ ।।
धर्मः दयाविशुद्धः प्रव्रज्या सर्वसंगपरित्यक्ता। देवः व्यपगतमोह: उदयकर: भव्यजीवानाम्।। २५ ।।
તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્ત જે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણો કરે. ૨૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com