________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
(અષ્ટપાહુડ
(૭) હવે “જ્ઞાન” નું નિરૂપણ કરે છે:
संजमसंजुत्तस्स य सुझाणजोयस्स मोक्खमग्गस्स। णाणेण लहदि लक्खं तम्हा णाणं च णायव्वं ।। २०।।
संयमसंयुक्तस्य च सुध्यानयोग्यस्य मोक्षमार्गस्य। ज्ञानेन लभते लक्षं तस्मात् ज्ञानं च ज्ञातव्यम्।।२०।। સંયમસહિત સધ્યાનયોગ્ય વિમુક્તિપથના લક્ષ્યને, પામી શકે છે જ્ઞાનથી જીવ, તેથી તે જ્ઞાતવ્ય છે. ૨૦
અર્થ - સંયમથી સંયુક્ત અને ધ્યાનને યોગ્ય-આ પ્રકારે જે મોક્ષમાર્ગ છે તેનું લક્ષ્ય અર્થાત્ લક્ષ કરવા યોગ્ય-જાણવા યોગ્ય નિશાન જે પોતાનું નિજસ્વરૂપ છે તે “જ્ઞાન” દ્વારા પામી શકાય છે. તેથી આ પ્રકારના લક્ષ્યને જાણવા માટે “જ્ઞાન” ને જાણવું.
ભાવાર્થ- સંયમ અંગીકાર કરી ધ્યાન કરે અને આત્માના સ્વરૂપને જ જાણે તો મોક્ષમાર્ગની સિદ્ધિ નથી. માટે “જ્ઞાન” નું સ્વરૂપ જાણવું જોઈએ. તેને જાણવાથી સર્વ સિદ્ધિ છે.
૨)
હવે તેને જ દૃષ્ટાંત દ્વારા દઢ કરે છે:
जह णवि लहदि हु लक्खं रहिओ कंडस्स वेज्झचविहीणो। तह णवि लक्खदि लक्खं अण्णाणी मोक्खमग्गस्स।।२१।।
तथा नापि लभते स्फुटं लक्षं रहितः कांडस्य वेधकविहीनः । तथा नापि लक्षयति लक्षं अज्ञानी मोक्षमार्गस्य।।२१।। શર-અન્ન *-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને, અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧
અર્થ - જેમ વેધવાવાળો વેધક કે જે બાણથી રહિત એવો પુરુષ છે તે-કાંડ અર્થાત્ ધનુષના (ધનુર્વિદ્યાના) અભ્યાસથી રહિત હોય તો લક્ષ્ય અર્થાત્ નિશાનને પામી શકતો નથી. તેવી જ રીતે “જ્ઞાન” થી રહિત અજ્ઞાની છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેનું લક્ષ્ય અર્થાત્ સ્વલક્ષણથી જાણવા યોગ્ય જે પરમાત્માનું સ્વરૂપ તેને પ્રાપ્ત કરી શકતો નથી.
૧ ‘સુધ્યાનયોરી’ નો સંસ્કૃત ટીકા પ્રતિમાં “શ્રેષ્ઠ ધ્યાન સહિત” આવો પણ અર્થ છે. ૨ ‘વેધ'–‘વૈધ્ય' પાઠાન્તર છે. ૩ શર-અજ્ઞ = બાણવિધાનો અજાણ. ૪ વેધ્ય-અજાણ = નિશાન સંબંધી અજાણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com