________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
(અષ્ટપાહુડી
સમય માત્ર ગમનરૂપ હોય છે, તેથી જંગમરૂપથી નિર્માપિત છે; સિદ્ધસ્થાન જે લોકનો અગ્રભાગ છે તેમાં સ્થિત છે. માટે વ્યુત્સર્ગ અર્થાત્ કાય રહિત છે-જેવો પૂર્વ શરીરમાં આકાર હતો તેવો જ પ્રદેશોનો આકાર-ચરમ શરીરથી કંઈક ઓછું છે; ધ્રુવ છે-સંસારથી મુક્ત થાય (તે જ સમયે) એક સમય માત્ર ગમન કરી લોકના અગ્ર ભાગમાં પહોંચીને સ્થિર થઈ જાય છે. પછી ચલાચલ થતા નથી. એવી પ્રતિમા' સિદ્ધ ભગવાન છે.
ભાવાર્થ- આગળની બે ગાથાઓમાં તો “જંગમ પ્રતિમા' સંયમી મુનિઓની દેહ સહિત કહી. હવે આ બે ગાથાઓમાં “થિર પ્રતિમા' સિદ્ધોની કહી. આ પ્રકારે “જંગમ-સ્થાવર પ્રતિમા' નું સ્વરૂપ કહ્યું. અન્ય કોઈ બીજી જાતની બહુ પ્રકારથી કલ્પના કરે છે, તે પ્રતિમા વંદન કરવા યોગ્ય નથી.
પ્રશ્ન:- આ તો પરમાર્થ સ્વરૂપ કહ્યું અને બાહ્ય વ્યવહારમાં પાષાણાદિકની પ્રતિમાને વંદન કરે છે તે કેવી રીતે?
સમાધાનઃ- બાહ્ય વ્યવહારમાં મતાંતરના ભેદથી અનેક રીતે પ્રતિમાની પ્રવૃત્તિ છે. અહીં પરમાર્થને પ્રધાન કરી કહ્યું છે અને જ્યાં વ્યવહાર છે ત્યાં જેવું પ્રતિમાનું પરમાર્થ સ્વરૂપ હોય તેને જ સૂચિત કરે તે નિબંધ છે. જેવો પરમાર્થરૂપ આકાર કહ્યો તેવા જ આકારરૂપ વ્યવહાર હોય તો તે વ્યવહાર પણ પ્રશસ્ત છે. વ્યવહારી જીવોને પણ વંદન કરવા યોગ્ય છે. સ્યાદ્વાદ ન્યાયથી સિદ્ધ કરવામાં આવેલ પરમાર્થ અને વ્યવહારમાં વિરોધ નથી. ૧૨-૧૩
આ પ્રકારે “જિનપ્રતિમા' નું સ્વરૂપ કહ્યું. (૪) હવે ‘દર્શન' નું સ્વરૂપ કહે છે:
दंसेइ मोक्खमग्गं सम्मत्तं संजमं सुधम्मं च। णिग्गंधं णाणमयं जिणमग्गे दंसणं भणियं ।। १४ ।।
दर्शयति मोक्षमार्गं सम्यक्त्वं संयमं सुधर्मं च। निर्ग्रथं ज्ञानमयं जिनमार्गे दर्शनं भणितम्।।१४।।
દર્શાવતું સંયમ-સુદગ-સદ્ધર્મરૂપ, નિગ્રંથ ને જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કર્યું જિનશાસને. ૧૪
અર્થ - જે મોક્ષમાર્ગને દેખાડે છે તે “દર્શન' છે. મોક્ષમાર્ગ કેવો છે? સમ્યકત્વ અર્થાત તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ સમ્યકત્વ સ્વરૂપ છે; સંયમ અર્થાત ચારિત્ર-પાંચ મહાવ્રત,
૧ જ્ઞાનાત્મ = જ્ઞાનમય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com